Surat News: બેફામ બન્યા ગુનેગાર, મહિલાની હત્યાથી ચકચાર, પોલીસ તપાસ શરુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં હત્યાની ઘટનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ક્રાઇમ રેટ વધતા પોલીસની કામગીરી અને સુરક્ષા કાયદા પર પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. સુરતના કામરેજમાં ઉંભેળ ગામે મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. શેરડીના ખેતરમાંથી આ મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરુ કરાઇ છે. મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
સુરતમાં વધુ એક હત્યાની ઘટના
સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના કામરેજના ઉંભેળ ગામે બની છે. શેરડીના ખેતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. અને પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ શરુ કરી હતી. આ મહિલા કોણ હતી, ક્યાંથી આવી હતી, તે આ ખેતરમાં શું કરતી હતી તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે હાલ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડ્યો છે. છેલ્લા 15 દિવસમાં સુરત જિલ્લામાં હત્યાની આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલ
સુરતમાં 'સબ સલામત'ના દાવા જાણે પોકળ સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે ગુનેગારો બેફામ બનીને સમગ્ર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ગુનેગારોને પોલીસનો કોઇ ડર ન હોવાનું લાગી રહ્યુ છે. કારણે 15 દિવસમાં હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે. મહિલાઓની રક્ષા પર વધુ સવાલ ઉભા થઇ રહ્યા છે. ખેતરમાંથી મળેલો મૃતદેહ ક્યાંથી આવ્યો કે ખેતરમાં લાવીને બાદમાં મહિલાની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ હવે તેજ બની છે.
What's Your Reaction?






