Surat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે, સી.આર. પાટીલના ઘરે બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેઓ સુરત પહોંચ્યા છે. તેમની આ મુલાકાત રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરત પહોંચ્યા બાદ અમિત શાહ સીધા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓનો જમાવડો થયો હતો.
સી. આર. પાટીલના ઘરે મંત્રીઓનો જમાવડો જામ્યો
અમિત શાહનું આ રાત્રી રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં થવાનું છે. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય બેઠકો અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવાનો હોવાનું મનાય છે. આવતીકાલે અમિત શાહ સુરત ખાતે ઈસ્કોન મંદિરના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ભાગ લેશે.
આવતીકાલે અમિત શાહ ઇસ્કોન મંદિરનું કરશે ખાતમૂહુર્ત
આ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત તેઓ ભાજપના નેતાઓ સાથે સંગઠન અને આગામી વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરશે તેવી અપેક્ષા છે. આ મુલાકાત રાજ્યમાં ભાજપની સંગઠનાત્મક મજબૂતી અને રાજકીય ગતિવિધિઓને વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.
What's Your Reaction?






