Suratમાં 6 વર્ષમા 8 કોર્પોરેટર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા, Special Story

સુરતમાં 6 વર્ષમાં 8 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા હોવાની વાત સામે આવી છે,જેમાં ભાજપના 3, કોંગ્રેસના 3 ,આપના 2 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે.લોકપ્રશ્નોના ઉકેલ માટે આ કોર્પોરેટરો રૂપિયા લેતા હોવાની વાત એસીબીની તપાસમાં સામે આવી છે.ગેરકાયદે બાંધકામ, અશાંતધારાની આડમાં ઉઘરાણીનો ખેલ કરાતો હતો.ઝોનના અધિકારીઓ સાથે આ કોર્પોરેટરોની સાંઠ-ગાંઠ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જાણો કયા વર્ષમાં કોણ લાંચ લેતા ઝડપાયું વર્ષ 2018માં 2 ટ્રેપ થઈ વર્ષ 2019માં 3 ટ્રેપ થઈ વર્ષ 2020માં 1 ટ્રેપ થઈ વર્ષ 2024 માં 2 ટ્રેપ થઈ મીના રાઠોડ BJP વોર્ડ નં. ૨૫ ગુનો તા. ૨૩-૨-૨૦૧૮ લાંચની રકમ પાંચ લાખ નૈનસી સુમરા BJP વોર્ડ નં. ૧૧ ગુનો તા. ૨૨-૮-૨૦૧૮ લાંચની રકમ ૫૫ હજાર જયંતિ ભંડેરી BJP વોર્ડ નં. ૧૮ ગુનો તા. ૬-૨-૨૦૧૯ લાંચની રકમ ૫૦ હજાર લીલા સોનવણે CONGRESS વોર્ડ નં. ૧૮ ગુનો તા.૨૭-૨-૨૦૧૯ લાંચની રકમ ૧૫ હજાર કપીલા પટેલ CONGRESS વોર્ડ નં. ૧૮ ગુનો તા.૧૧-૧૨-૨૦૧૯ લાંચની રકમ ૫૦ હજાર સતિષ પટેલ CONGRESS વોર્ડ નં. ૨૯ ગુનો તા.૧૩-૮-૨૦૨૦ લાંચની રકમ ૧૫ હજાર જીતેન્દ્ર કાછડીયા AAP વોર્ડ નં. ૧૬ ગુનો તા.૨-૯-૨૦૨૪ લાંચની રકમ ૧૦ લાખ વિપુલ સુહાગિયા AAP વોર્ડ નં. ૧૭ ગુનો તા.૨-૯-૨૦૨૪ લાંચની રકમ ૧૦ લાખ અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Suratમાં 6 વર્ષમા 8 કોર્પોરેટર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા, Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરતમાં 6 વર્ષમાં 8 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા હોવાની વાત સામે આવી છે,જેમાં ભાજપના 3, કોંગ્રેસના 3 ,આપના 2 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે.લોકપ્રશ્નોના ઉકેલ માટે આ કોર્પોરેટરો રૂપિયા લેતા હોવાની વાત એસીબીની તપાસમાં સામે આવી છે.ગેરકાયદે બાંધકામ, અશાંતધારાની આડમાં ઉઘરાણીનો ખેલ કરાતો હતો.ઝોનના અધિકારીઓ સાથે આ કોર્પોરેટરોની સાંઠ-ગાંઠ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

જાણો કયા વર્ષમાં કોણ લાંચ લેતા ઝડપાયું

વર્ષ 2018માં 2 ટ્રેપ થઈ

વર્ષ 2019માં 3 ટ્રેપ થઈ

વર્ષ 2020માં 1 ટ્રેપ થઈ

વર્ષ 2024 માં 2 ટ્રેપ થઈ

મીના રાઠોડ BJP

વોર્ડ નં. ૨૫ ગુનો તા. ૨૩-૨-૨૦૧૮ લાંચની રકમ પાંચ લાખ

નૈનસી સુમરા BJP

વોર્ડ નં. ૧૧ ગુનો તા. ૨૨-૮-૨૦૧૮ લાંચની રકમ ૫૫ હજાર

જયંતિ ભંડેરી BJP

વોર્ડ નં. ૧૮ ગુનો તા. ૬-૨-૨૦૧૯ લાંચની રકમ ૫૦ હજાર

લીલા સોનવણે CONGRESS

વોર્ડ નં. ૧૮ ગુનો તા.૨૭-૨-૨૦૧૯ લાંચની રકમ ૧૫ હજાર

કપીલા પટેલ CONGRESS

વોર્ડ નં. ૧૮ ગુનો તા.૧૧-૧૨-૨૦૧૯

લાંચની રકમ ૫૦ હજાર

સતિષ પટેલ CONGRESS

વોર્ડ નં. ૨૯ ગુનો તા.૧૩-૮-૨૦૨૦ લાંચની રકમ ૧૫ હજાર

જીતેન્દ્ર કાછડીયા AAP

વોર્ડ નં. ૧૬ ગુનો તા.૨-૯-૨૦૨૪ લાંચની રકમ ૧૦ લાખ

વિપુલ સુહાગિયા AAP

વોર્ડ નં. ૧૭ ગુનો તા.૨-૯-૨૦૨૪ લાંચની રકમ ૧૦ લાખ

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.