Suratમાં મનપાની બેદરકારી, વરસાદી આફતમાં અલથાણના રોડ પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં

Jun 26, 2025 - 11:00
Suratમાં મનપાની બેદરકારી, વરસાદી આફતમાં અલથાણના રોડ પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વરસાદે તબાહી મચાવી છે. સુરત જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતા 30 કલાકમાં જ 17 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદે સુરત શહેરને બાનમાં લીધું છે. શહેરમાં 23 અને 24 જૂનના રોજ ધોધમાર વરસાદનું જોર રહ્યું. વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન વરસાદે વિરામ લેતા આજે વહીવટીતંત્રની પોલ ખુલી છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.

વરસાદી આફતમાં ગટરનું ઢાંકણુ ખુલ્લું

શહેરમાં વરસાદનું જોર ઘટતા ધીરે-ધીરે રસ્તા પરથી પાણી ઓસરી રહ્યા છે. જાહેરમાર્ગો પરથી પાણી દૂર થતા મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. વરસાદી આફત વચ્ચે અલથાણમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું. એકબાજુ વરસાદનો કહેર અને બીજી બાજુ રસ્તાઓ પર ગટરના તૂટેલા ઢાંકાણા કયારેક જીવેલણ બની શકે છે. તંત્રના કટોકટીની સ્થિતિમાં મદદના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની બેદરકારીને લઈને ફરી એકવાર લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

મનપાની કામગીરી પર સવાલ

અઠવા ઝોનમાં આવેલા અલથાણ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું. વરસાદનું જોર ઘટ્યા બાદ ગટરના ઢાંકણાને લઈને કામગીરી કરવામાં ના આવી. આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે SMCના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ છે. કારણ કે થોડા સમય પહેલા સુરતમાં જ ખુલ્લી ગટરમાં પડવાના કારણે એક બાળકનું મોત નિપજવાની ઘટના બની હતી. આ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. છતાં આટલા સમય બાદ પણ સતત મનપાની બેદરકારી સામે આવી રહી છે. ભૂતકાળના કિસ્સા પરથી મનપાએ કોઈ બોધપાઠ ના લેતા પોતાની મનમાની રીતે જ કામગીરી કરી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0