Sayla: મોબાઇલમાં સ્ટેટસ મૂકવાની વાતમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું

ઝાલાવાડના ભગતના ગામથી ઓળખાતા સાયલા ગામના હોળીધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા યુવાનની મોબાઇલમાં સ્ટેટસ મુકવા જેવી સામાન્ય બાબતે ધોળા દિવસે તિક્ષણ હથિયાર વડે હત્યા કરવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. લગ્નના સ્ટેટસ મુકવા બાબતે પાડોશમાં રહેતા સામા પક્ષના લોકો દ્વારા કરાયેલ બોલાચાલી બાદ ઝઘડો થતા યુવાન પર ઘાતકી હુમલો કરાયો હતો.સવારના સમયે બનેલ બનાવમાં દેકારો મચી જવા સાથે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને હુમલામાં ગંભીર ઇજા પામેલ હિંમતભાઇ લઘરભાઇ પંડયા નામના યુવાનને લોહી નિંગળતી હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી જતા પરિવારજનોમાં આક્રંદ છવાઇ જવા પામ્યું હતું. સાયલા ગામમાં બનેલા હત્યાના ચકચારી બનાવની ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા લીંબડી ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિત જિલ્લા પોલીસનો કાફ્લો ખડકી દેવાયો હતો. યુવાનની હત્યામાં ભોગ બનનારના પરીજનો દ્વારા બનાવ બાદ ફરાર થઇ ગયેલા હુમલાખોર એવા પાંચ ઇસમો જયાં સુધી ના ઝડપાય ત્યાં સુધી મૃતક યુવાનની લાશને સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. મૃતક હિંમતભાઇ પંડયા લાંબા સમયથી સાયલા ખાતે આવેલ એક બાઇકના શોરુમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેમજ આજે રવિવારે રજા હોવાથી ઘેર હાજર હતા. ત્યારે જ આવી ઘટના બનતા પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. યુવાનની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે રાખવા સમયે મૃતકના પરીજનોની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. ત્યારે સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા પારખી બીજો કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હત્યાના બનાવ સ્થળે તેમજ હોસ્પિટલ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. આ ઉપરાંત હત્યાનો બનાવ હોવાથી મૃતક હિંમતભાઇની લાશને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી નાસી છૂટેલા હત્યારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદ આધારે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારા ભાઇના હત્યારાઓને કડક સજા થાય સાયલાના ચકચારી હત્યાના બનાવમાં મૃતકના મોટાભાઈ પ્રકાશભાઈ લઘરભાઈએ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નરેશ દાનજીભાઈ અઘારા, ગીરધર દાનજીભાઈ અઘારા, મુકેશ પ્રેમજીભાઈ અઘારા, રાજેન નરેશભાઈ અઘારા તેમજ ઉમંગ નરેશભાઈ અઘારાનો સમાવેશ થાય છે. બનાવ સમયે નરેશ અને ગીરધરે યુવાન હિંમતભાઈને પકડી રાખ્યા હતા. જ્યારે રાજેન નામના આરોપીએ પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા હિંમતભાઈનું મોત નિપજ્યું હતું. યુવાનની હત્યા બાદ હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરીવારજનોએ પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ફરિયાદ પ્રકાશભાઇ પંડયાએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી યુવાન હિંમતભાઇનું કરુણ મોત નિપજતા પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. જયારે તેમના પુત્ર, પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવવા સાથે તેમની પત્નીએ ભરથાર ગુમાવ્યો હતો.

Sayla: મોબાઇલમાં સ્ટેટસ મૂકવાની વાતમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઝાલાવાડના ભગતના ગામથી ઓળખાતા સાયલા ગામના હોળીધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા યુવાનની મોબાઇલમાં સ્ટેટસ મુકવા જેવી સામાન્ય બાબતે ધોળા દિવસે તિક્ષણ હથિયાર વડે હત્યા કરવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. લગ્નના સ્ટેટસ મુકવા બાબતે પાડોશમાં રહેતા સામા પક્ષના લોકો દ્વારા કરાયેલ બોલાચાલી બાદ ઝઘડો થતા યુવાન પર ઘાતકી હુમલો કરાયો હતો.

સવારના સમયે બનેલ બનાવમાં દેકારો મચી જવા સાથે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને હુમલામાં ગંભીર ઇજા પામેલ હિંમતભાઇ લઘરભાઇ પંડયા નામના યુવાનને લોહી નિંગળતી હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી જતા પરિવારજનોમાં આક્રંદ છવાઇ જવા પામ્યું હતું.

સાયલા ગામમાં બનેલા હત્યાના ચકચારી બનાવની ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા લીંબડી ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિત જિલ્લા પોલીસનો કાફ્લો ખડકી દેવાયો હતો. યુવાનની હત્યામાં ભોગ બનનારના પરીજનો દ્વારા બનાવ બાદ ફરાર થઇ ગયેલા હુમલાખોર એવા પાંચ ઇસમો જયાં સુધી ના ઝડપાય ત્યાં સુધી મૃતક યુવાનની લાશને સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. મૃતક હિંમતભાઇ પંડયા લાંબા સમયથી સાયલા ખાતે આવેલ એક બાઇકના શોરુમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેમજ આજે રવિવારે રજા હોવાથી ઘેર હાજર હતા. ત્યારે જ આવી ઘટના બનતા પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. યુવાનની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે રાખવા સમયે મૃતકના પરીજનોની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. ત્યારે સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા પારખી બીજો કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હત્યાના બનાવ સ્થળે તેમજ હોસ્પિટલ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો.

આ ઉપરાંત હત્યાનો બનાવ હોવાથી મૃતક હિંમતભાઇની લાશને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી નાસી છૂટેલા હત્યારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદ આધારે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મારા ભાઇના હત્યારાઓને કડક સજા થાય

સાયલાના ચકચારી હત્યાના બનાવમાં મૃતકના મોટાભાઈ પ્રકાશભાઈ લઘરભાઈએ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નરેશ દાનજીભાઈ અઘારા, ગીરધર દાનજીભાઈ અઘારા, મુકેશ પ્રેમજીભાઈ અઘારા, રાજેન નરેશભાઈ અઘારા તેમજ ઉમંગ નરેશભાઈ અઘારાનો સમાવેશ થાય છે. બનાવ સમયે નરેશ અને ગીરધરે યુવાન હિંમતભાઈને પકડી રાખ્યા હતા. જ્યારે રાજેન નામના આરોપીએ પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા હિંમતભાઈનું મોત નિપજ્યું હતું. યુવાનની હત્યા બાદ હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરીવારજનોએ પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ફરિયાદ પ્રકાશભાઇ પંડયાએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

યુવાન હિંમતભાઇનું કરુણ મોત નિપજતા પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. જયારે તેમના પુત્ર, પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવવા સાથે તેમની પત્નીએ ભરથાર ગુમાવ્યો હતો.