Saurashtraના સુપ્રસિદ્ધ લોકમેળામાં સ્ટોલ અને રાઇડ માટે ફરજિયાત છે આ નિયમ

લોકમેળા માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે સ્ટોલ અને રાઇડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળા માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામા ફરજિયાત કરવામાં આવશે. સ્ટોલ અને રાઇડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. તેમજ ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે. તથા લોકમેળામાં ફજેતના ભાવ રૂપિયા 35થી 45 રાખવામાં આવશે.  રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે જન્માષ્ટમી ઉપર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે,આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા છે,આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે. લોકમેળાની 10 લાખ કરતા વધુ લોકો કરે છે મુલાકાત TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે.જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે.યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે.તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે, જેમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી. મેળામાં ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.

Saurashtraના સુપ્રસિદ્ધ લોકમેળામાં સ્ટોલ અને રાઇડ માટે ફરજિયાત છે આ નિયમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકમેળા માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે
  • સ્ટોલ અને રાઇડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે
  • ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળા માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામા ફરજિયાત કરવામાં આવશે. સ્ટોલ અને રાઇડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. તેમજ ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે. તથા લોકમેળામાં ફજેતના ભાવ રૂપિયા 35થી 45 રાખવામાં આવશે.

 રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે

જન્માષ્ટમી ઉપર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે,આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા છે,આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે.

લોકમેળાની 10 લાખ કરતા વધુ લોકો કરે છે મુલાકાત

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે.જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે.યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે.તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે, જેમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.

મેળામાં ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે

રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.