Sarangpur News : શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલો કચ્છની ફેમસ ખારેકનો અન્નકૂટ ધરાવાયો

Jul 12, 2025 - 12:00
Sarangpur News : શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલો કચ્છની ફેમસ ખારેકનો અન્નકૂટ ધરાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલો કચ્છની ફેમસ ખારેકનો અન્નકૂટ ધરાવાયો એવં મેઘધનુષ્યની થીમવાળા કલરફૂલ વાઘા અને દાદાના સિંહાસન- ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓનો શણગાર કરાયો છે.

દાદાના સિંહાસન- ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓનો શણગાર ધરાવવામાં આવ્યો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિતે તા.12-07-2025ના રોજ શ્રીકષ્ટભંજનદેવને મેઘધનુષ્યની થીમવાળા કલરફૂલ વાઘા અને દાદાના સિંહાસન- ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓનો શણગાર ધરાવવામાં આવ્યો હતો, મંગળા આરતી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ ખારેકનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.


અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર

આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મેઘધનુષ્યની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘા સાત દિવસની મહેનતે અમદાવાદથી એક ભક્તે મોકલ્યા હતા. આ ઉપરાંત દાદાના સિંહાસન, ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 536 રંગબેરંગી છત્રીનું ડેકોરેશન કરાયું છે. તો હનુમાજીને આજે 1 હજાર કિલો કચ્છની ફેમસ ખારેક ધરાવવામાં આવી છે. આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0