Sabarkanthaના હિંમતનગરના હાર્દ સમાન ગણાતા ટાવર રોડના રસ્તાની થઈ કાયાપલટ

સાબરકાંઠાના હિંમતનગરમાં વોર્ડ નંબર 4 ના વિવિધ રોડ રસ્તાઓ રિફ્રેશ કરાયા છે,છેલ્લા બે દિવસથી આ કામગીરી કરવામાં આવી છે,ત્યારે હિંમતનગરનું હ્દય સમાન એવા ટાવર રોડ વિસ્તારના રોડને રિફ્રેશ કરીને નવા રોડ બનાવવામાં આવ્યા છે,આ કામગીરી મોડી રાત્રે કરવામાં આવી હતી અને કોર્પોરેટરોની હાજરીમાં આ કામગીરી કરાઈ હતી. વરસાદને લઈ રોડને થયું હતુ નુકસાન વરસાદને લઈ રોડ પરની કપચીઓ ઉખડી જતા રોડનું કામ કરવામાં આવ્યું છે.વોર્ડ નંબર 4 અને અન્ય વોર્ડમાં પણ આજ રીતે રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે.ચોમાસુ પૂર્ણ થતાની સાથે ધારાસભ્ય વી.ડી. ઝાલાના સૂચન મુજબ હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય તેમજ બાંધકામ સમિતિ ચેરમેન ડિકુલભાઇ ગાંધીએ જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં ક્વોરી એસોસિએશનની સ્ટ્રાઈકના પગલે કામગીરીમાં વિલંબ થયેલ હતો પરંતુ હવે તેઓની હડતાલ સમેટાઈ જતા હિંમતનગર શહેરના મુખ્ય માર્ગોનું કામ તાત્કાલિક ચાલુ કરાવ્યું છે. ટૂંક સમયમાં હિંમતનગર શહેરના રોડ રસ્તા રીપેરીંગ થઈ જશે. સ્થાનિકોમાં ખુશીનો માહોલ નવા રસ્તાઓ બનવાની શરૂઆત થતા શહેરીજનોને હવે ખાડા વાળા રોડમાંથી પસાર થવાનો વારો નહી,બીજી તરફ રોડ નવા બનતા અકસ્માત થવાની સંભાવના પણ ઓછી રહેલી છે.વરસાદ બાદ હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્રારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,અલગ-અલગ વોર્ડ દીઠ આ કામગીરી કરાઈ રહી છે અને રોડ સરખા બને તેમાં કોઈ ગડબડ ના થાય તેને લઈ કોર્પોરેટરો પણ મોડી રાત સુધી ઉજાગરો કરીને ધ્યાન રાખી રહ્યાં છે અને શ્રમિકોને ગાઈડ કરી રહ્યાં છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

Sabarkanthaના હિંમતનગરના હાર્દ સમાન ગણાતા ટાવર રોડના રસ્તાની થઈ કાયાપલટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠાના હિંમતનગરમાં વોર્ડ નંબર 4 ના વિવિધ રોડ રસ્તાઓ રિફ્રેશ કરાયા છે,છેલ્લા બે દિવસથી આ કામગીરી કરવામાં આવી છે,ત્યારે હિંમતનગરનું હ્દય સમાન એવા ટાવર રોડ વિસ્તારના રોડને રિફ્રેશ કરીને નવા રોડ બનાવવામાં આવ્યા છે,આ કામગીરી મોડી રાત્રે કરવામાં આવી હતી અને કોર્પોરેટરોની હાજરીમાં આ કામગીરી કરાઈ હતી.

વરસાદને લઈ રોડને થયું હતુ નુકસાન

વરસાદને લઈ રોડ પરની કપચીઓ ઉખડી જતા રોડનું કામ કરવામાં આવ્યું છે.વોર્ડ નંબર 4 અને અન્ય વોર્ડમાં પણ આજ રીતે રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે.ચોમાસુ પૂર્ણ થતાની સાથે ધારાસભ્ય વી.ડી. ઝાલાના સૂચન મુજબ હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય તેમજ બાંધકામ સમિતિ ચેરમેન ડિકુલભાઇ ગાંધીએ જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં ક્વોરી એસોસિએશનની સ્ટ્રાઈકના પગલે કામગીરીમાં વિલંબ થયેલ હતો પરંતુ હવે તેઓની હડતાલ સમેટાઈ જતા હિંમતનગર શહેરના મુખ્ય માર્ગોનું કામ તાત્કાલિક ચાલુ કરાવ્યું છે. ટૂંક સમયમાં હિંમતનગર શહેરના રોડ રસ્તા રીપેરીંગ થઈ જશે.


સ્થાનિકોમાં ખુશીનો માહોલ

નવા રસ્તાઓ બનવાની શરૂઆત થતા શહેરીજનોને હવે ખાડા વાળા રોડમાંથી પસાર થવાનો વારો નહી,બીજી તરફ રોડ નવા બનતા અકસ્માત થવાની સંભાવના પણ ઓછી રહેલી છે.વરસાદ બાદ હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્રારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,અલગ-અલગ વોર્ડ દીઠ આ કામગીરી કરાઈ રહી છે અને રોડ સરખા બને તેમાં કોઈ ગડબડ ના થાય તેને લઈ કોર્પોરેટરો પણ મોડી રાત સુધી ઉજાગરો કરીને ધ્યાન રાખી રહ્યાં છે અને શ્રમિકોને ગાઈડ કરી રહ્યાં છે.


1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.