Sabarkantha : સાબરમતી નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે 12 સભ્યોનો એક આખો પરિવાર ફસાઇ ગયો, બચાવ કાર્ય શરુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં સાબરમતી નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે એક આખો પરિવાર ફસાઇ જતા તત્કાળ બચાવ અને રાહત કામગિરી શરુ કરાઇ છે.
સાબરમતી નદી રૌદ્ર સ્વરુપ બતાવી રહી છે
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું છે જેના કારણે સાબરમતીમાં પ્રચંડ પૂર આવ્યું છે. ખેડબ્રહ્માથી લઇને ખેડા સુધી સાબરમતી નદી રૌદ્ર સ્વરુપ બતાવી રહી છે . સાબરમતીના પાણી અનેક ગામોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે.
એક જ પરિવારના 12 લોકો ફસાઇ ગયા
બીજી તરફ ખેડબ્રહ્માના રતનપુર ગામે પાસે સાબરમતી નદીમાં એક જ પરિવારના 12 લોકો ફસાઇ ગયા છે જેમને બચાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તત્કાળ કાર્યવાહી શરુ કરાઇ છે. આ પરિવાર બકરા ચરાવવા ગયો હતો ત્યારે નદીમાં અચાનક પ્રવાહ વધતાં તેઓ બહાર નિકળી શક્યા ન હતા પરિવારને બચાવાના પ્રયાસો
ઘટનાની જાણ થતાં ઇડર અને ખેડબ્રહ્માનો ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો છે તથા NDRF ની ટીમ બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઇ છે અને ભારે પ્રવાહ નદીમાં જોવા મળી રહ્યો છે. હાલ આ પરિવારને બચાવાના પ્રયાસો કરાઇ રહ્યા છે.
What's Your Reaction?






