Sabarkantha News: ખેડબ્રહ્મા તાલુકાના નાકા કલોલ ગામની સરકાર પાસે શું છે વિનંતી?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડબ્રહ્મા તાલુકાના નાકા કલોલ ગામના જંગલ વિસ્તારમાં રહેતા હોવાથી 1998માં આ લોકોને આદિજાતી વિકાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયથી આદિજાતિના સરકારી લાભો આપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021થી નાકા કલોલ ગામના લોકોને આદિજાતિ વિકાસના દાખલ તથા સરકારી લાભો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે નાકા કલોલ ગામના લોકો દ્વારા આવનારા સમયમાં આદિજાતિમાં સમાવેશ કરી ફરી સરકારી લાભો અને દાખલાઓ કાઢી આપવા સરકારને વિનંતી કરવામાં આવી છે.
1998થી આદિજાતિ વિકાસમાં સમાવેશ
જો આવનારા સમયમાં આદિજાતિ સરકારી લાભો તેમજ દાખલાઓ કાઢી આપવામાં નહી આવે તો આવનારા સમયમાં નાના મોટા બાળકો સહિત ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. 1998થી અમારો આદિજાતિ વિકાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને 2021 પછી આદિજાતિના દાખલાઓ બંધ કરતા બાળકોને ઉચ્ચ કક્ષાએ અભ્યાસ માટે મુકવા અંગે તકલીફ પડી રહી છે. જેને સરકાર દ્વારા ઝડપી નિર્ણય લઈ સત્વરે લાભો આપવા વિનંતી કરાઇ છે.
આદિજાતિના સરકારી લાભો આપવામાં આવ્યા
સરકારી લાભો મળતા બંધ થતા જનતાઓ મુશ્કેલીઓમાં મુકાય છે. આદિજાતિ વિકાસ માટે સરકારની યોજનાઓ ફાયદાકારક નીવડે છે. ખાસ કરીને શિક્ષણ જગત માટે આ ઉપયોગી સાબિત થાય છે. તેથી ફરી દાખલાઓ કાઢી ફરી યોજનાઓનો લાભ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.
What's Your Reaction?






