Sabarkantha News : હિંમતનગરમાં છાપરીયા વિસ્તારમાં 100થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Jul 23, 2025 - 09:00
Sabarkantha News :  હિંમતનગરમાં છાપરીયા વિસ્તારમાં 100થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિંમતનગર નગરપાલિકા દ્વારા છાપરીયા ચાર રસ્તાથી સહકારી જીન વિસ્તાર સુધી રોડ પર તેમજ ફૂટપાથ ઉપર કરેલા કાચા પાકા 100થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે, ટાઉન પ્લાનિંગ ચેરમેન જાનકીબેન રાવલના જણાવ્યા અનુસાર, ઘણા લાંબા સમયથી અહીં લારી ગલ્લા, નોનવેજની દુકાનો તેમજ હોટલો કરી કાચા પાકા દબાણોથી રસ્તા પર અડચણરૂપ થતા હતા તેવા દબાણો દૂર કરી નાખવામાં આવ્યા છે.

નોટીસ આપી તેમ છત્તા દબાણ હટાવતા ન હતા

તો પાલિકા દ્વારા અગાઉ જેટલા લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યા હતા તે લોકોને નોટીસ પણ આપવામાં આવી હતી પણ આ લોકોએ દબાણ ખાલી કર્યા ન હતા જેના કારણે પાલિકાએ બુલડોઝર ફેરવી લીધુ હતુ, મહત્વનું છે કે, આગામી સમયમાં માલિકીની જગ્યામાં માર્જિન ભંગ કરેલ હશે તેવી મિલકતોને પણ નોટિસ આપી દબાણ દૂર કરવામાં આવશે. પોલીસ અને ફાયર વિભાગને સાથે રાખીને આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા, તો અમુક લોકોએ પોતાની જાતે જ દબાણો દૂર કરી નાખ્યા હતા.

ટ્રાફિકની સમસ્યા સર્જાતા દબાણો દૂર કર્યા

હિંમતનગરમાં છાપરીયા વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા છે, તો ગેરકાયદેસર દબાણો કરી દીધા હોવાથી અને સ્થાનિકો ગમે તે રીતે વાહનપાર્ક કરી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, છાપરીયા વિસ્તારમાં ગેર કાયદેસર દબાણ દૂર કરાતા સ્થાનિકોને પણ રાહત થઈ હતી, હવે દબાણો તો દૂર કર્યા છે અને પછી પણ જો કોઈ સ્થાનિક દબાણ ઉભુ કરશે તો તેને તોડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, હિંમતનગરમાં અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર દબાણો સામે પાલિકાની નજર છે અને આગામી સમયમાં તેને પણ તોડી પાડવામાં આવશે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0