Rath Yatra 2024:ફેસ રેકગ્નિશન કેમેરાથી લોકો પર રહેશે નજર,તૈયારીઓને અપાયો આખરી ઓપ

રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યોનિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા હોટ સ્પોટ પર ફેસ રેકગ્નિશન કેમેરા લગાવવામાં આવ્યા 14 સ્થળો પર 21 ફેસ રેક્ગ્નીશન સિસ્ટમ અને રથયાત્રાના રૂટ પર 18 વ્હીકલમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ અમદાવાદમાં રથયાત્રા 2024ને લઈ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, આવતીકાલે સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અલગ અલગ સંબંધિત તમામ વિભાગોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને આજે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ, તેમજ પોલીસના બંદોબસ્તને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર સીસીટીવીથી રહેશે બાજ નજર શહેરમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા હોટ સ્પોટ પર ફેસ રેક્ગ્નીશન કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સુરક્ષાને લઈ કોઈ સવાલો ઉભા ના થાય. શહેરમાં 14 જગ્યાઓ પર 46 સીસીટીવી, 11 જગ્યાઓ પર 22 પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, 2 જગ્યાઓ પર ઈમરજન્સી કોલ બોક્સ, જ્યારે 14 સ્થળો પર 21 ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને રથયાત્રાના રૂટ પર 18 વ્હીકલમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. 14 સ્થળોએ લગાવવામાં આવ્યા સીસીટીવી રથયાત્રાના અલગ અલગ રૂટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી લગાવવામાં આવ્યા છે, માણેકચોક, સરદાર ભવન, ખાડિયા ચાર રસ્તા, જમાલપુર દરવાજા, આરી.સી.કોલેજ, દાણીપીઠ શાકમાર્કેટ, કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, સરસપુર ચાર રસ્તા, ખમાસા સર્કલ અને શાહપુર રંગીલા વિસ્તારમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ તમામ CCTV, PA, ECB, FRS સિસ્ટમ્સ, GPS લાઈવ ટ્રેકિંગ, વીડિયો સિસ્ટમ રથયાત્રા ઈવેન્ટ મોનિટરિંગ માટે ન્યૂ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે લાઈવ રહેશે. નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલા રસ્તાઓ અને વિસ્તાર જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પેરામિલેટરી ફોર્સ રહેશે બંદોબસ્તમાં શહેરમાં રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રાજ્યના ડીજી સહિત અધિકારીઓ સાથે રૂટનો રીવ્યુ કરાયો છે,લોકોમાં રથયાત્રાને લઈ ખુબ આનંદ હોય છે. તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામા લોકો રોડ પર દર્શન કરવા માટે આવે છે. 1400 જેટલા નવા સીસીટીવી કેમેરા પીપીપી ધોરણે લોકોએ જાતે દુકાન અને અન્ય જગ્યાએ લગાવ્યા છે. તીથર ડ્રોન હિલીમ બલૂનથી નીરીક્ષણ કરાશે આ દેશમાં પહેલી વાર ઉપયોગ કરાશે.20 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.360 ડિગ્રીના વીડિયો રેડી કરાયા છે. આ સાથે જ પીરામિલેટરી સહિત તમામ ફોર્સ તહેનાત રહેશે.

Rath Yatra 2024:ફેસ રેકગ્નિશન કેમેરાથી લોકો પર રહેશે નજર,તૈયારીઓને અપાયો આખરી ઓપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
  • નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા હોટ સ્પોટ પર ફેસ રેકગ્નિશન કેમેરા લગાવવામાં આવ્યા
  • 14 સ્થળો પર 21 ફેસ રેક્ગ્નીશન સિસ્ટમ અને રથયાત્રાના રૂટ પર 18 વ્હીકલમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ

અમદાવાદમાં રથયાત્રા 2024ને લઈ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, આવતીકાલે સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અલગ અલગ સંબંધિત તમામ વિભાગોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને આજે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ, તેમજ પોલીસના બંદોબસ્તને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી.

રથયાત્રા રૂટ પર સીસીટીવીથી રહેશે બાજ નજર

શહેરમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા હોટ સ્પોટ પર ફેસ રેક્ગ્નીશન કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સુરક્ષાને લઈ કોઈ સવાલો ઉભા ના થાય. શહેરમાં 14 જગ્યાઓ પર 46 સીસીટીવી, 11 જગ્યાઓ પર 22 પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, 2 જગ્યાઓ પર ઈમરજન્સી કોલ બોક્સ, જ્યારે 14 સ્થળો પર 21 ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને રથયાત્રાના રૂટ પર 18 વ્હીકલમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.

14 સ્થળોએ લગાવવામાં આવ્યા સીસીટીવી

રથયાત્રાના અલગ અલગ રૂટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી લગાવવામાં આવ્યા છે, માણેકચોક, સરદાર ભવન, ખાડિયા ચાર રસ્તા, જમાલપુર દરવાજા, આરી.સી.કોલેજ, દાણીપીઠ શાકમાર્કેટ, કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, સરસપુર ચાર રસ્તા, ખમાસા સર્કલ અને શાહપુર રંગીલા વિસ્તારમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ તમામ CCTV, PA, ECB, FRS સિસ્ટમ્સ, GPS લાઈવ ટ્રેકિંગ, વીડિયો સિસ્ટમ રથયાત્રા ઈવેન્ટ મોનિટરિંગ માટે ન્યૂ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે લાઈવ રહેશે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલા રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

પેરામિલેટરી ફોર્સ રહેશે બંદોબસ્તમાં

શહેરમાં રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રાજ્યના ડીજી સહિત અધિકારીઓ સાથે રૂટનો રીવ્યુ કરાયો છે,લોકોમાં રથયાત્રાને લઈ ખુબ આનંદ હોય છે. તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામા લોકો રોડ પર દર્શન કરવા માટે આવે છે. 1400 જેટલા નવા સીસીટીવી કેમેરા પીપીપી ધોરણે લોકોએ જાતે દુકાન અને અન્ય જગ્યાએ લગાવ્યા છે. તીથર ડ્રોન હિલીમ બલૂનથી નીરીક્ષણ કરાશે આ દેશમાં પહેલી વાર ઉપયોગ કરાશે.20 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.360 ડિગ્રીના વીડિયો રેડી કરાયા છે. આ સાથે જ પીરામિલેટરી સહિત તમામ ફોર્સ તહેનાત રહેશે.