Rajkotમાં અમિત ખૂંટ આપઘાત કેસ, આરોપી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ વિદેશ ભાગ્યાની ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આરોપીઓ વિદેશ ભાગી ગયાની હોવાની ચર્ચાએ જોર પકડયું છે, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સહિતના આરોપીઓ વિદેશ ભાગ્યાની ચર્ચા છે, નેપાળથી વાયા દુબઈ ગયા હોવાની ચર્ચાએ પકડ્યું જોર, અમિતને ફસાવવાનો પ્લાન રહીમ મકરાણીએ ઘડ્યો હતો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાતા અમિતે કર્યો હતો આપઘાત.
આરોપી સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરવા પોલીસની કવાયત
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત ૩ તારીખના રોજ રીબડાના યુવક સામે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી આ પછી પોલીસ જેને શોધતી હતી તે દુષ્કર્મના આરોપીએ પોતાના ગામે વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગોંડલ તાલુકા પોલીસે ચિઠ્ઠી આધારે રીબડાના પિતા-પૂત્ર સહીત ચાર સામે ફરિયાદ નોંધી હતી, જેમાં બે એડવોકેટ, ભોગ બનનાર સગીરા અને યુવતીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં જુનાગઢના સુત્રધાર અને રીબડાના પિતા-પૂત્ર ફરાર હોય જે નેપાળ બોર્ડરથી ભારત દેશ છોડી ભાગી ગયા હોવાની માહિતી આધારે ત્રણેય સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.
દુષ્કર્મની ફરિયાદી તરૂણી સામે મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી
રાજકોટના એ ડિવિઝનમાં એક તરૂણીએ રીબડાના અમિત ખુંટ નામના યુવક સામે ગત ૩ તારીખે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસ આરોપીને શોધતી હતી તે દરમિયાન 5 તારીખે રીબડામાં તેની જ વાડીએ ફાંસો ખાધેલી હાલતમાં અમિતનો મૃતદેહ મળી આવ્યો હતો, ગોંડલ તાલુકા પોલીસે એક ચિઠ્ઠી કબજે કરી હતી જે સ્યુસાઈડ નોટ આધારે ખોટા કેસમાં ફીટ કરાવ્યા હોય મૃતકના ભાઈએ રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પૂત્ર રાજદીપસિહ જાડેજા, પૂજા રાજગોર અને દુષ્કર્મની ફરિયાદી તરૂણી સામે મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓ નેપાળ બોર્ડરથી ત્રણેય દેશ છોડી નાસી છૂટયા હોવાની શંકા
જેમાં પોલીસે ભોગ બનનાર તરૂણી અને પૂજાની ધરપકડ કરી પૂછતાછ કરતા રાજકોટના એડવોકેટ સંજય પંડિત, ગોંડલના એડવોકેટ દિનેશ પાતરે માર્ગદર્શન આપ્યું હોવાનું ખૂલતા તે બંનેની પણ ધરપકડ કરી હતી તેમજ અમિતને ફ્સાવવા જુનાગઢના રહીમ મકરાણીએ પ્લાન ઘડ્યો હોવાનું પણ ખૂલ્યું હતું બનાવના ૨૫ દિવસ પછી પણ રહીમ સહીત ત્રણેય ફરાર હોય અને નેપાળ બોર્ડરથી ત્રણેય દેશ છોડી નાસી છૂટયા હોવાની શંકાએ ગ્રામ્ય પોલીસ દ્વારા રહીમ ઉપરાંત અનિરૂદ્ધસિંહ અને તેના પૂત્ર રાજદીપસિંહ સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરવા કવાયત હાથ ધરી હોવાનું એલસીબી પીઆઈ વી વી ઓડેદરાએ જણાવ્યું હતું.
What's Your Reaction?






