Rajkot : બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદમાં, લોકો અચાનક ધૂણવા લાગ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં યોજાયેલા બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ બાદ સમગ્ર કાર્યક્રમ વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હાકલ બાદ અનેક લોકો ધૂણવા લાગ્યાના દૃશ્યો સામે આવ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
લોકો અચાનક ધૂણવા લાગ્યા
મળતી માહિતી મુજબ, દિવ્ય દરબારમાં પ્રેતબાધા દૂર કરવાની વાતો વચ્ચે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો અચાનક ધૂણવા લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ પોતાને પ્રેતબાધા થઈ હોવાનું જણાવતાં સિક્યુરિટી કર્મચારીઓ, એક પત્રકાર અને કેટલાક ભક્તો સાથે ઝપાઝપી કરી હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ઘટનાના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દિવ્ય દરબારના નામે અંધશ્રદ્ધા
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઘટનાની ટીકા કરી છે. કેટલાક લોકોએ આ ઘટનાને અંધશ્રદ્ધા સાથે જોડીને પ્રશ્નો ઉઠાવ્યા છે અને દિવ્ય દરબારના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાના આરોપ લગાવ્યા છે. બીજી તરફ, બાબા બાગેશ્વરના સમર્થકો આ સમગ્ર ઘટનાને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી બાબત ગણાવી રહ્યા છે. ભાવનાત્મક ઉત્તેજના
ઘટનાને લઈને તબીબી અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક નિષ્ણાતોના મતે આવા પ્રસંગોમાં સામૂહિક માનસિક અસર અથવા ભાવનાત્મક ઉત્તેજનાના કારણે લોકો અસામાન્ય વર્તન કરતા જોવા મળે છે. જોકે, વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિઓની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર તબીબી પુષ્ટિ ઉપલબ્ધ નથી. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર આસ્થા, અંધશ્રદ્ધા અને વૈજ્ઞાનિક અભિગમ અંગેની ચર્ચાને વેગ આપ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો અને ઘટનાને લઈને ચર્ચા યથાવત્ છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : રાજ્યમાં વરસાદ સાથે ઉકળાટની આગાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

