Rajkot News : હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા : સાંસદ રામ મોકરિયા

Sep 9, 2025 - 12:00
Rajkot News : હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા : સાંસદ રામ મોકરિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ વકર્યો છે. થોડા દિવસ પહેલા રેસકોર્સ પર ગણેશ મહોત્સવમાં ભાજપના મોટા ભાગના નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી. રાજકોટમાં ભાજપના પદાધિકારીઓ અને સાંસદ રામ મોકરિયા વચ્ચે ચાલી રહેલા ખટરાગનો વિવાદ શમ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે ફરી વકર્યો છે. સાંસદ રામ મોકરિયાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે ભાજપના નેતાઓ સામે નિશાન સાધ્યું હતું.

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કરી પોસ્ટ

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા. હાથી ચલે બાઝાર કુત્તે ભોંકતે હજાર. તેમણે દિલ્હીથી સાંસદો સાથેના ફોટો પણ પોસ્ટ કર્યા હતાં. તેમણે સી.આર. પાટીલ અને મનસુખ માંડવીયા સાથેના ફોટો પોસ્ટ કર્યા હતાં. તેમની આ પોસ્ટ બાદ રાજકોટ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભાજપમાં ડખા થયા હોવાની ચર્ચાઓ શરૂ

સાંસદ રામ મોકરિયાએ જાહેરમાં મહાનગર પાલિકાના પદાધિકારીઓની પોલ ખોલતા વિવાદ સર્જાયો હતો. જેને પગલે અનેક પદાધિકારીઓ નારાજ થયા હતાં. ત્યાર બાદ મનપાના કાર્યક્રમમાં શહેર પ્રમુખના આદેશ બાદ તેમનું નામ કમી કરી દેવાતા વિવાદ વકર્યો હતો. મીડિયા સામે સવાલો ઉભા થતાં પક્ષ દ્વારા વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો. તાજેતરના કાર્યક્રમમાં સાંસદનું નામ આમંત્રણ કાર્ડમાં ઉમેરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવાદ શાંત થયો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ ગણેશોત્સવ બાદ ફરીવાર ભાજપમાં ડખા શરૂ થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0