Rajkot News : ધોરાજીમાં કબ્રસ્તાનની જમીન પર કબ્જો જમાવીને બેઠેલા 8 દુકાનદારો સામે તંત્રની લાલ આંખ

Aug 4, 2025 - 15:30
Rajkot News : ધોરાજીમાં કબ્રસ્તાનની જમીન પર કબ્જો જમાવીને બેઠેલા 8 દુકાનદારો સામે તંત્રની લાલ આંખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોરાજીમાં જુના ઉપલેટા રોડ પર 8 દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદે દુકાન બનાવેલી હતી. પ્રાંત અધિકારીએ આ દુકાનદારોને શરતભંગની નોટિસ આપી હતી. નોટિસ બાદ દુકાન બંધ ન કરતા આખરે સીલ મારી દેવામાં આવ્યા છે.

પ્રાંત અધિકારીએ શરતભંગની નોટિસ આપી હતી

રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં જુના ઉપલેટા રોડ પર આવેલ અને કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર દુકાનોને સીલ મારી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં ધોરાજી પ્રાન્ત અધિકારીએ શરતભંગની નોટિસ ફટકારી હતી અને આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે જમીન પર પોતાનો હક નથી તેવી જમીનને પચાવી પાડી દુકાનો ચલાવી રહ્યા હતા. ધોરાજીનાં જુના ઉપલેટા રોડ અને કબ્રસ્તાનની જમીન પર સાત દુકાનો અને એક સીડીવાળી દુકાનને સીલ મારી દેવામાં આવ્યો છે.

નોટિસ બાદ દુકાન બંધ ન કરતા આખરે સીલ મારી

ધોરાજીમાં કબ્રસ્તાનની જમીન પર કબ્જો જમાવીને બેઠેલા દુકાનદારો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તંત્રએ આ દુકાનદારોને દુકાન ન ખોલવા બાબતે નોટિસ આપી હતી પરંતુ નોટિસનો અનાદર કરી દુકાન ફરીથી શરૂ કરતાં 8 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0