Rajkot : જસદણ APMC એ કડદા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો, જોઇને ખરીદી કરો, પાછળથી કડદો કર્યો તો કડક કાર્યવાહી કરાશે

Nov 4, 2025 - 12:00
Rajkot : જસદણ APMC એ કડદા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો, જોઇને ખરીદી કરો, પાછળથી કડદો કર્યો તો કડક કાર્યવાહી કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં તાજેતરમાં કડદા વિવાદ ચગ્યો હતો. હવે જસદણ APMC એ કડદા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. APMC એ જણસીની હરાજી બાદ કડદા નહી કરવા વેપારીઓ અને કમિશન એજન્ટોને સ્પષ્ટ આદેશ કર્યો છે.

કપાસની હરાજી સમયે જોઇને જ ખરીદી કરો

 જસદણ APMC એ કડદા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. એપીએમસી દ્વારા વેપારીઓ અને કમિશન એજન્ટોને સૂચના અપાઇ છે કે કપાસની હરાજી સમયે જોઇને જ ખરીદી કરો

 ખરીદી કર્યા બાદ કોઈએ ભાવમાં ફેરફાર કરવા નહી

સૂચનામાં સ્પષ્ટ કહેવાયું છે કે ખરીદી કર્યા બાદ કોઈએ ભાવમાં ફેરફાર કરવા નહી. જો કોઇ કડદા કે ભાવભેર કરશે તો તેની સામે મોટી કાર્યવાહી કરાશે. લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી ચીમકી પણ અપાઇ છે. લાયસન્સ રદ કરવાની ફરજ પડશે

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં કડદા પ્રથાના કારણે ભારે વિવાદ થયો હતો. ખેડૂતો જ્યારે માર્કેટીંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા આવે ત્યારે વેપારીઓ અથવા એજન્ટો વજન કરતી વખતે ગુણવત્તા બતાવા કડદો કરે છે અને તે ઘણી વખત ખેડૂતોને અન્યાય કરે છે. ખેડૂતોને મોટું નુકશાન સહન કરવું પડે છે જેથી જસદણ એપીએમસીએ હવે જોઇને જ ખરીદી કરવા સૂચના આપી છે. કોઇએ કડદો કર્યો તો તેની સામે કાર્યવાહી કરાશે. કડદા કરતા કે ભાવ ફેરફાર કરતા માલુમ પડશે માર્કેટિંગ યાર્ડ દ્વારા કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવાની ફરજ પડશે,

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0