Rajkotના અગ્રણી પરષોત્તમ પીપળીયાને જયેશ રાદડિયા પર કરેલી ટિપ્પણી પડી મોંઘી !

જયેશ રાદડીયા-નરેશ પટેલના વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમા પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાને ફોન પર અભદ્ર બોલીને અજાણ્યા શખ્સે ધમકી આપી છે.જયેશ રાદડીયા-નરેશ પટેલના વિવાદ વચ્ચે પરષોત્તમ પીપળીયાએ આપ્યું હતું નિવેદન તો તે જ નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો પીપળીયાનો આક્ષેપ છે અને તેમનું કહેવું છે કે,મને ફોન કરી મારું સરનામું માગી ધમકી અપાઈ છે,તો આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે રોષ : પરષોત્તમ પીપળીયા આ બધા વિવાદની વચ્ચે પરષોત્તમ પીપળીયાનું કહેવું છે કે,સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે લોકોનો રોષ છે.નિત્યસ્વરૂપ સ્વામીને લઈ પાટીદાર અગ્રણીનું કહેવું છે કે,પટેલોને બુદ્ધિ વિહીન ચીતરવા વ્યાજબી નથી,સમાજમાં રોષ ભભૂકે તેવા નિવેદન સ્વામીએ ન આપવા જોઈએ,અગાઉ પણ સ્વામીએ આવો બફાટ કર્યો હતો અને સ્વામી સમાજમાં વિવાદ અને ભાગલા પડે તેવું નિવેદન આપ્યુ હતુ તો સાધુને શોભે તેવી વાત કરવી જોઈએ.સ્વામીએ વીડિયોમાં કહ્યું હતુ કે,100 પટેલ ભેગા થાય ત્યારે વાણિયા જેવી બુદ્ધિ આવે. જયેશ રાદડિયાએ અગાઉ સમૂહ લગ્નમાં કર્યુ હતુ નિવેદન જામકંડોરણામાં સમૂહલગ્ન વખતે સ્ટેજ પરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાટીદાર સમાજના કેટલાક આગેવાનોને ટપોરી કહ્યા હતા અને તેમના આ વિધાન બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને અગ્રણીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાત પણ સૂત્રો તરફથી મળી હતી. દરરોજ કોઇને કોઇ પાટીદાર આગેવાન રાદડિયાને આડે હાથ લઇ રહ્યા હતા. રાજકોટની કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઇઓ પરષોત્તમ પીપળિયાએ હવે આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને તેમણે જયેશ રાદડિયાને આડે હાથ લીધા હતા.  

Rajkotના અગ્રણી પરષોત્તમ પીપળીયાને જયેશ રાદડિયા પર કરેલી ટિપ્પણી પડી મોંઘી !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જયેશ રાદડીયા-નરેશ પટેલના વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમા પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાને ફોન પર અભદ્ર બોલીને અજાણ્યા શખ્સે ધમકી આપી છે.જયેશ રાદડીયા-નરેશ પટેલના વિવાદ વચ્ચે પરષોત્તમ પીપળીયાએ આપ્યું હતું નિવેદન તો તે જ નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો પીપળીયાનો આક્ષેપ છે અને તેમનું કહેવું છે કે,મને ફોન કરી મારું સરનામું માગી ધમકી અપાઈ છે,તો આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે રોષ : પરષોત્તમ પીપળીયા

આ બધા વિવાદની વચ્ચે પરષોત્તમ પીપળીયાનું કહેવું છે કે,સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે લોકોનો રોષ છે.નિત્યસ્વરૂપ સ્વામીને લઈ પાટીદાર અગ્રણીનું કહેવું છે કે,પટેલોને બુદ્ધિ વિહીન ચીતરવા વ્યાજબી નથી,સમાજમાં રોષ ભભૂકે તેવા નિવેદન સ્વામીએ ન આપવા જોઈએ,અગાઉ પણ સ્વામીએ આવો બફાટ કર્યો હતો અને સ્વામી સમાજમાં વિવાદ અને ભાગલા પડે તેવું નિવેદન આપ્યુ હતુ તો સાધુને શોભે તેવી વાત કરવી જોઈએ.સ્વામીએ વીડિયોમાં કહ્યું હતુ કે,100 પટેલ ભેગા થાય ત્યારે વાણિયા જેવી બુદ્ધિ આવે.

જયેશ રાદડિયાએ અગાઉ સમૂહ લગ્નમાં કર્યુ હતુ નિવેદન

જામકંડોરણામાં સમૂહલગ્ન વખતે સ્ટેજ પરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાટીદાર સમાજના કેટલાક આગેવાનોને ટપોરી કહ્યા હતા અને તેમના આ વિધાન બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને અગ્રણીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાત પણ સૂત્રો તરફથી મળી હતી. દરરોજ કોઇને કોઇ પાટીદાર આગેવાન રાદડિયાને આડે હાથ લઇ રહ્યા હતા. રાજકોટની કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઇઓ પરષોત્તમ પીપળિયાએ હવે આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને તેમણે જયેશ રાદડિયાને આડે હાથ લીધા હતા.