Rain News :વાસણા બેરેજના ત્રણ દરવાજા એક ફૂટ ખોલાયા, નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ

સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફુટ સુધી પહોંચીડેમને આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા સૂચના હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે શહેરમાં આખો દિવસ વાદળીયા વાતાવરણ વચ્ચે છુટાછવાયેલા વરસાદી ઝાપટાં પડયા હતાં. રવિવાર રજાના દિવસે સમી સાંજે પણ વરસાદ વરસતાં રસ્તા પર લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફુટ સુધી પહોંચી છે. જેના પગલે વાસણા બેરેજના 3 દરવાજા એક ફુટ ખોલાતા જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. તંત્રએ કહ્યું કે, હાલ કોઇ જોખમ નથી. પરંતુ નદીપારના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવાઇ છે. વાસણા ડેમમાં પાણીની આવક થતાં સાબરમતી નદીકિનારે આવેલા દસક્રોઇ અને ધોળકા સહિતના તાલુકાઓમાં સાવધાની રાખવા સૂચના અપાઇ છે. હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે. તંત્રએ કહ્યું કે, હાલ પૂરની સ્થિતી નથી. પરંતુ શહેર અને જિલ્લાના સબંધિત ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત ડેમને આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા પણ સૂચના અપાઇ છે.

Rain News :વાસણા બેરેજના ત્રણ દરવાજા એક ફૂટ ખોલાયા, નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફુટ સુધી પહોંચી
  • ડેમને આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા સૂચના
  • હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે

શહેરમાં આખો દિવસ વાદળીયા વાતાવરણ વચ્ચે છુટાછવાયેલા વરસાદી ઝાપટાં પડયા હતાં. રવિવાર રજાના દિવસે સમી સાંજે પણ વરસાદ વરસતાં રસ્તા પર લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફુટ સુધી પહોંચી છે.

જેના પગલે વાસણા બેરેજના 3 દરવાજા એક ફુટ ખોલાતા જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. તંત્રએ કહ્યું કે, હાલ કોઇ જોખમ નથી. પરંતુ નદીપારના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવાઇ છે. વાસણા ડેમમાં પાણીની આવક થતાં સાબરમતી નદીકિનારે આવેલા દસક્રોઇ અને ધોળકા સહિતના તાલુકાઓમાં સાવધાની રાખવા સૂચના અપાઇ છે. હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે. તંત્રએ કહ્યું કે, હાલ પૂરની સ્થિતી નથી. પરંતુ શહેર અને જિલ્લાના સબંધિત ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત ડેમને આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા પણ સૂચના અપાઇ છે.