Railway News : ભાવનગર મંડળની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનોમાં એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે

Oct 12, 2025 - 08:30
Railway News : ભાવનગર મંડળની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનોમાં એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યાત્રિયોની વધતી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનોમાં એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ કોચની વૃદ્ધિથી મુસાફરોને વધુ સુવિધા મળશે અને તેમની મુસાફરીનો અનુભવ વધુ સારો બનશે.

ગાંધીગ્રામ –બોટાદ –ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેન

1.ટ્રેન નંબર 59553/59554 ગાંધીગ્રામ –બોટાદ –ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેનમાં

oગાંધીગ્રામથી તારીખ 14.10.2025થી

oબોટાદથી તારીખ 15.10.2025થી

એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે.

2.ટ્રેન નંબર 59555/59556 ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેનમાં

oગાંધીગ્રામથી તારીખ 14.10.2025થી

oબોટાદથી તારીખ 15.10.2025થી

એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે. 3.ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ ટ્રેનમાં

oગાંધીગ્રામથી તારીખ 15.10.2025થી

oબોટાદથી તારીખ 14.10.2025થી એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે આ કોચોની વૃદ્ધિથી મુસાફરોની ભીડ નિયંત્રિત કરવામાં સહાય મળશે અને મુસાફરી વધુ આરામદાયક તથા સુગમ બનશે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને સેવા ગુણવત્તામાં સતત સુધારો કરવા પ્રતિબદ્ધ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0