Political News: નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા..! કહ્યું-"કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી"

22 દિવસ બાદ અચાનક પ્રગટ થયા નિલેશ કુંભાણીમેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી: નિલેશ કુંભાણીકોંગ્રેસે 2017માં મારી સાથે બદલો લીધો: કુંભાણીકોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. ઉમેદવારી રદ થવાની બબાલ વચ્ચે નિલેશ કુંભાણી છેલ્લા કેટલાક સમયથી ગુમ હતા. સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનુ ઉમેદવારી ફોર્મ રદ થયું હતું, ટેકેદારોની સહી મુદ્દે નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થતા તેમના પર અનેક આક્ષેપો પણ થયા હતા. ત્યારે તેઓ 22 દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છેમળતી માહિતી મુજબ, લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વીડિયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જો કે, 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા. પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ આજે (10 મે)ના રોજ કેટલાક દિવસો બાદ સુરત કોંગ્રેસના ગાયબ થયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને પ્રતાપ દુધાત અંગે વાત કરી હતી. હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ : નિલેશ કુંભાણી મીડિયા સાથે વાત કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે, 'હું અત્યાર સુધી મારા ઘરે જ હતો. ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. અત્યાર સુધી ભાજપ સાથે સંપર્ક થયો નથી. કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. હું ભાજપની નહીં મારી ફોર્ચ્યુનર ગાડીમાં ગયો હતો. ધક્કા-મુક્કી ન થાય તે માટે પાછલા દરવાજેથી ગયો હતો. મારે આરોપ લગાવીને કોઈને મોટા નથી કરવા. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર હતા. મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું.' પ્રતાપ દુધાતને નિલેશ કુંભાણીએ વળતો જવાબ આપ્યો છે. કહ્યું કે, 'હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ.''કોંગ્રેસે મારી સાથે 2017માં ગદ્દારી કરી હતી' નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. વધુમાં કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી ચુકી છે. 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી.

Political News: નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા..! કહ્યું-"કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 22 દિવસ બાદ અચાનક પ્રગટ થયા નિલેશ કુંભાણી
  • મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી: નિલેશ કુંભાણી
  • કોંગ્રેસે 2017માં મારી સાથે બદલો લીધો: કુંભાણી

કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. ઉમેદવારી રદ થવાની બબાલ વચ્ચે નિલેશ કુંભાણી છેલ્લા કેટલાક સમયથી ગુમ હતા. સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનુ ઉમેદવારી ફોર્મ રદ થયું હતું, ટેકેદારોની સહી મુદ્દે નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થતા તેમના પર અનેક આક્ષેપો પણ થયા હતા. ત્યારે તેઓ 22 દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે

મળતી માહિતી મુજબ, લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વીડિયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જો કે, 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા. પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ આજે (10 મે)ના રોજ કેટલાક દિવસો બાદ સુરત કોંગ્રેસના ગાયબ થયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને પ્રતાપ દુધાત અંગે વાત કરી હતી.

હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ : નિલેશ કુંભાણી

મીડિયા સાથે વાત કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે, 'હું અત્યાર સુધી મારા ઘરે જ હતો. ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. અત્યાર સુધી ભાજપ સાથે સંપર્ક થયો નથી. કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. હું ભાજપની નહીં મારી ફોર્ચ્યુનર ગાડીમાં ગયો હતો. ધક્કા-મુક્કી ન થાય તે માટે પાછલા દરવાજેથી ગયો હતો. મારે આરોપ લગાવીને કોઈને મોટા નથી કરવા. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર હતા. મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું.' પ્રતાપ દુધાતને નિલેશ કુંભાણીએ વળતો જવાબ આપ્યો છે. કહ્યું કે, 'હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ.'

'કોંગ્રેસે મારી સાથે 2017માં ગદ્દારી કરી હતી'

નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. વધુમાં કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી ચુકી છે. 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી.