Palanpurમાં 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન

Dec 1, 2024 - 16:30
Palanpurમાં 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની છે. આ યોજનામાં કોઈપણ આવક મર્યાદા વગર ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ૧૦ લાખ સુધીની આરોગ્ય સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી પણ કટિબદ્ધ છે.

વડીલો માટે મહત્વપૂર્ણ યોજના

આ કેમ્પ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આ યોજના વડીલો માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ કેમ્પ થકી કુલ ૬૪ વડીલોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. વૃદ્ધો ધક્કા ના ખાય એ માટે ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિસ્તારના તમામ વડીલો માટે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી, કોર્પોરેટરો, વિવિધ સોસાયટીના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


જાણો આયુષ્યમાન કાર્ડ વિશે

આયુષ્માન એપ્લિકેશનનો ઉપયોગ લાભાર્થીઓને INR 5 લાખ સુધીની મફત સારવાર મેળવવા માટે "આયુષ્માન કાર્ડ" બનાવવા માટે કરી શકાય છે. અમને લાભાર્થીઓ અને અન્ય હિતધારકો માટે "આયુષ્માન કાર્ડ" જાતે ઍક્સેસ કરવા માટે સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. લાભાર્થીઓ ટૂંક સમયમાં PM-JAY ના અન્ય લાભો મેળવી શકશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0