OMG ! Mehsanaના વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયું

ગટરલાઈન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઈનમાં પાણીનું જોડાણ એક જ લાઈનમાં હોવાથી ફરી વળ્યા પાણી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સર્જાઈ સ્થિતિ મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયું છે.તળાવનું પાણી ઉદલપુર ગામમાં ફરી વળતા જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે.સાથે સાથે ગટર લાઈન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઈનમાં હોવાથી ગટરના પાણી પણ બેક માર્યા છે.વરસાદી પાણીનો નિકાલ ના થતા ગામમાં ફરી વળ્યા પાણી. ગટરનું પાણી વરસાદના પાણીમાં મિકસ થયું ઉદલપુર ગામમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે,વરસાદી પાણીની સાથે ગટરની લાઈન પણ ભળી ગઈ છે જેના કારણે બન્ને પાણી બેક મારી રહ્યાં છે અને ગામનું તળાવ પણ ઓવરફલો થયું છે.આ સમસ્યા દર વખતની છે,દર વરસાદમાં ગટરના પાણીની લાઈનની સાથે વરસાદી પાણીની લાઈન ભળી જાય છે અને ગામમાં દુર્ગંધ મારે છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાને અનેક વખત આ બાબતને લઈ રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. વિજાપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વિજાપુર ગાંધીનગર હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોને તકલીફ પડી રહી છે,તો આનંદપુરા ચોકડી પાસે પાણી ભરાતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.વિજાપુરમાં ધોધમાર વરસાદ સોહમ બંગ્લો, નારાયણ બંગ્લો વિસ્તારમાં પાણી ભરાયા છે,તો અન્ય વૃંદાવન સોસાયટી, જલારામ સોસાયટીમાં પણ કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો ઘરની બહાર નિકળી નથી શકતા. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.

OMG ! Mehsanaના વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગટરલાઈન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઈનમાં
  • પાણીનું જોડાણ એક જ લાઈનમાં હોવાથી ફરી વળ્યા પાણી
  • પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સર્જાઈ સ્થિતિ

મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયું છે.તળાવનું પાણી ઉદલપુર ગામમાં ફરી વળતા જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે.સાથે સાથે ગટર લાઈન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઈનમાં હોવાથી ગટરના પાણી પણ બેક માર્યા છે.વરસાદી પાણીનો નિકાલ ના થતા ગામમાં ફરી વળ્યા પાણી.

ગટરનું પાણી વરસાદના પાણીમાં મિકસ થયું

ઉદલપુર ગામમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે,વરસાદી પાણીની સાથે ગટરની લાઈન પણ ભળી ગઈ છે જેના કારણે બન્ને પાણી બેક મારી રહ્યાં છે અને ગામનું તળાવ પણ ઓવરફલો થયું છે.આ સમસ્યા દર વખતની છે,દર વરસાદમાં ગટરના પાણીની લાઈનની સાથે વરસાદી પાણીની લાઈન ભળી જાય છે અને ગામમાં દુર્ગંધ મારે છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાને અનેક વખત આ બાબતને લઈ રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી.


વિજાપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

વિજાપુર ગાંધીનગર હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોને તકલીફ પડી રહી છે,તો આનંદપુરા ચોકડી પાસે પાણી ભરાતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.વિજાપુરમાં ધોધમાર વરસાદ સોહમ બંગ્લો, નારાયણ બંગ્લો વિસ્તારમાં પાણી ભરાયા છે,તો અન્ય વૃંદાવન સોસાયટી, જલારામ સોસાયટીમાં પણ કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો ઘરની બહાર નિકળી નથી શકતા.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.