Navsari: વાંસદામાં પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને માર્યો માર

Feb 9, 2025 - 21:00
Navsari: વાંસદામાં પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને માર્યો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તેની વચ્ચે નવસારીના વાંસદામાં પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. કંડોલપાડા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ થઈ છે. દુબળ ફળિયા ગામમાં ભાજપની મીટીંગ હતી અને આ દરમિયાન ગામમાં કોંગ્રેસના કાર્યકરોએ ઝંડા લગાવતા બબાલ થઈ હતી.

ગામના લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોબાળો

ગામના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના ઝંડા અને બેનરો લગાવવા જતા ભાજપના કાર્યકરોએ તેમને અટકાવ્યા હતા અને બબાલ કરી હતી. કોંગ્રેસના કાર્યકરને ભાજપના કાર્યકરોએ માર માર્યો છે. ગામમાં મારામારી થતાં ગામના સરપંચ અને ગામના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો છે. ગામના લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના મીટીંગ સ્થળે પહોંચીને ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા છે.

વલસાડના ભાજપ સાંસદ ધવલ પટેલેને પ્રચાર કર્યા વગર જ પરત ફરવું પડ્યું

ત્યારે આ સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ વાંસદા પોલીસે અટકાવવા જતા પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. દૂબળ ફળિયા ગામના સરપંચ અને લોકોએ ભાજપની મીટીંગનો વિરોધ કર્યો હતો. ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા આવેલા સાંસદ ધવલ પટેલ પણ પ્રચાર કર્યા વગર જ પરત ફર્યા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0