Navratri 2026: ખેલૈયાઓ થઈ જાવ તૈયાર! આ વખતે પણ નવરાત્રિમાં આખી રાત ઘૂમશે ગરબા, હર્ષ સંઘવીએ આપ્યા સંકેત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી કે આખી રાત ગરબા યોજાય તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તેમના આ નિવેદન બાદ રાજ્યભરના ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ભારે આનંદનો માહોલ છવાઈ ગયો છે.
ગાંધીનગરના કાર્યક્રમમાં આપ્યું મહત્વનું નિવેદન
ગાંધીનગર સ્થિત કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા હર્ષ સંઘવીએ જાહેરમાં આ વિધાન કર્યું હતું. મંચ પરથી સંબોધન કરતી વખતે તેમણે ઉપસ્થિત જનમેદનીને સીધો સવાલ પૂછ્યો હતો કે, તમે નવરાત્રીમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમો છો? આ સવાલના જવાબમાં હાજર તમામ લોકોએ એકસૂરે "આખી રાત!" નો ઉત્સાહભેર પોકાર કર્યો હતો, જેના પ્રતિસાદરૂપે સંઘવીએ પણ આખી રાત ગરબા રમવાની છૂટ ચાલુ રાખવાના સંકેત આપ્યા હતા.
વચમાં કોઈ 'ચૌદશ' ન આવે તો આખી રાત ગરબા!
પોતાના સાહજિક અને હળવા અંદાજ માટે જાણીતા હર્ષ સંઘવીએ રાજકીય અને સામાજિક ટકોર કરતાં ઉમેર્યું હતું કે, જો વચ્ચે કોઈ 'ચૌદશ' કે બિનજરૂરી વિઘ્ન ન આવે તો આખી રાત નિશ્ચિંત થઈને ગરબા રમી શકાશે. તેમના આ કટાક્ષભર્યા વિધાનને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું.
નાના વેપારીઓ માટે 'દિવાળી' જેવી કમાણીની તક
માત્ર મનોરંજન જ નહીં, પરંતુ નવરાત્રીના આર્થિક પાસા પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે, રાતભર ગરબા ચાલવાથી માત્ર ખેલૈયાઓને જ મજા નથી આવતી, પરંતુ નાના વેપારીઓ, લારી-ગલ્લા વાળા અને ખાદ્યપદાર્થો વેચતા સ્થાનિક ધંધાર્થીઓને પણ મોટો ફાયદો થાય છે. આખી રાત વેપાર ધંધા ખુલ્લા રહેવાથી નાના રોજીંદી કમાણી કરતા પરિવાર માટે આ તહેવાર દિવાળી જેવી મોટી રોજીરોટી અને આર્થિક સમૃદ્ધિ લઈને આવે છે.
આ પણ વાંચો: બ્રિક્સ સમિટ 2026, ગુજરાતમાં વરસાદ, પશુપાલકોને પડ્યા પર પાટું...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

