Narmada : સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો, ડેમના 15 દરવાજા ખોલાયા

નર્મદાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થયો છે.નર્મદા ડેમ મહત્તમ જળ સપાટીમાં માત્ર 1.64 મીટર ભરાવાનો બાકી છે.નર્મદા ડેમમાં પાણીની આવક 3.77 લાખ ક્યુસેક થઈ છે.ઉપરવાસમાંથી પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી રહી છે.નર્મદા નદીમાં કુલ 3.46 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર પહોંચ્યો છે. ડેમમાં પાણીની આવક નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક ચાલુ છે,ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક ચાલુ છે.હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.04 મીટરે પહોંચી છે.નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે,ડેમની જળ સપાટી વધતા નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલાયા છે અને વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.કરજણ ડેમના પણ બે દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાની યથાવત રાખવામાં આવ્યું છે. ડેમના ઉપરવાસમાં આવેલાં દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના પગલે જળાશયમાં 6 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તળાજા તાલુકાના તળાજા, ભેંગાળી, પિંગળી, દાત્રડ, ટીમાણા, રોયલ, સેવાળીયા, રોયલ, માખણીયા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. સરદાર સરોવર નર્મદામાં 90 ટકા જળસંગ્રહ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. હાલ સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.  

Narmada : સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો, ડેમના 15 દરવાજા ખોલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થયો છે.નર્મદા ડેમ મહત્તમ જળ સપાટીમાં માત્ર 1.64 મીટર ભરાવાનો બાકી છે.નર્મદા ડેમમાં પાણીની આવક 3.77 લાખ ક્યુસેક થઈ છે.ઉપરવાસમાંથી પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી રહી છે.નર્મદા નદીમાં કુલ 3.46 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર પહોંચ્યો છે.

ડેમમાં પાણીની આવક

નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક ચાલુ છે,ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક ચાલુ છે.હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.04 મીટરે પહોંચી છે.નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે,ડેમની જળ સપાટી વધતા નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલાયા છે અને વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.કરજણ ડેમના પણ બે દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાની યથાવત રાખવામાં આવ્યું છે. ડેમના ઉપરવાસમાં આવેલાં દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના પગલે જળાશયમાં 6 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે.

શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે

પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તળાજા તાલુકાના તળાજા, ભેંગાળી, પિંગળી, દાત્રડ, ટીમાણા, રોયલ, સેવાળીયા, રોયલ, માખણીયા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.

સરદાર સરોવર નર્મદામાં 90 ટકા જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. હાલ સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.