Narmada: સરદાર સરોવર ડેમ 70 ટકા ભરાયો, 3.54 લાખ ક્યુસેક પાણીની આવક

પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી 28,464 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. 9 ઓગસ્ટ બપોરે 3.00 વાગ્યા સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે. 6622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચે તેવી શક્યતાઓ ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે. મળતી માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી વધી ગઈ છે. સતત પાણીની આવક થવાના કારણે છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક અને ડેમ ભરાઈ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. જેના કારણે 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ધરાવતા રિવર બેડ પાવર હાઉસ ના 4 યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. જ્યારે 250 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઓગસ્ટ મહિનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ સપ્ટેમ્બર મહિનામાં તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Narmada: સરદાર સરોવર ડેમ 70 ટકા ભરાયો, 3.54 લાખ ક્યુસેક પાણીની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી
  • ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી
  • 28,464 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું

વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. 9 ઓગસ્ટ બપોરે 3.00 વાગ્યા સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે.

6622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.

જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચે તેવી શક્યતાઓ

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે. મળતી માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી વધી ગઈ છે. સતત પાણીની આવક થવાના કારણે છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક અને ડેમ ભરાઈ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. જેના કારણે 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ધરાવતા રિવર બેડ પાવર હાઉસ ના 4 યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. જ્યારે 250 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઓગસ્ટ મહિનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ સપ્ટેમ્બર મહિનામાં તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.