Narmada:રાજપીપળા નગર ખાતે ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા નીકળી

Jun 28, 2025 - 03:00
Narmada:રાજપીપળા નગર ખાતે ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા નીકળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે 33મી ભગવાન જગન્નાથની યાત્રા નીકળી હતી. જેમાસ્થાનિક ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે પહિંદ વિધિ કરી યાત્રાની શરૂઆત કરાવી હતી.

દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ઉજવાઈ રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે છેલ્લા 33વર્ષથી રથયાત્રા નીકળે છે આજે પણ 33મી રથયાત્રા ની પહિંદવિધિ ધારાસભ્ય ર્ડા .દર્શનાબેન દેશમુખના હસ્તે રાધાકૃષ્ણ મંદિરેથી કરાવી રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ તેમજ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.

રથયાત્રાના માર્ગમાં દર વર્ષની જેમજ કોમી એખલાસના દ્રશ્યો પણ સર્જાયા અને લઘુમતી વિસ્તારમાંથી પસાર થતા લઘુમતી કોમના આગેવાનો દ્વારા રથયાત્રાનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરાયું સાથેજ રથયાત્રીકોનું પણ સ્વાગત કરાયું મહાનુભાવોએ આગામી દિવસોમાં સારા વરસાદની સાથે સાથે લોકો ને જન સુખાકારી પ્રાપ્ત થાય અને આ વર્ષે આવેલ આપત્તિ ફરી ના આવે અને તેમના દ્વારા લોકહિતના વધુ સારા કાર્યો થાય તેવી પ્રભુપ્રાર્થના કરી સમી સાંજે નીકળેલી આ રથયાત્રામાં ઢોલનગારા શહેનાઇ સાથે હજારો ભાવિકો જોડાયા હતા અને આ રથયાત્રાએ સન્ઘ્યાકાળે રણછોડજી મંદિરે વિરામ લઈ ભક્તો દ્વારા રણછોડજી મંદિરે પ્રભુની આરતી પણ કરાઈ હતી અને અહીં ભગવાનનું મોસાળું પણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ રથયાત્રા રાજપીપળાના રાજમાર્ગો પર આગળ વધી હતી.

રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા અને રથયાત્રા જ્યાં જ્યાં જતી રહે ત્યાં પુષ્પ વર્ષા કરીભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0