Mandal: પંથકના મઢ તેમજ માઈ મંદિરોના ચોકમાં દેશી ઢોલના તાલે ગરબાની રંગત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના તાલુકા મથક માંડલ નગરના ખંભલાય ચોકમાં, વાઘેશ્વરી મંદિરે દેશી ઢોલના તાલે કલાકાર ગરબા ગવડાવે અને ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે. ત્યારે ત્રીજા નોરતાથી તાલુકાના ગામેગામ નવરાત્રી મહોત્સવ જામ્યો છે ત્યારે નગરમાં સ્થાનિક લોકો પોતાના કુળદેવી માતાના મઢ તેમજ મંદિરોમાં પણ આ પર્વની ઉજવણી કરે છે. વિસ્તારમાં અનેક મઢ-મંદિરોમાં માતાજીના ગરબાનું સ્થાપન કરાયું છે. સાંજે 7 કલાકે આરતી પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદ લઈ સૌ માતા-બહેનો અને નાની બાળો સહિતના ભુલકાંઓ ગરબાની રમઝટ બોલાવી મા આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રિનો આનંદ, ઉત્સાહ જાળવે છે.
What's Your Reaction?






