Mahisagar જિલ્લાના કડાણામાં કિશોરના ગળામાં પટ્ટો બાંધીલી હાલતમા લાશ મળી

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં કિશોરના ગળામાં પટ્ટો બાંધીલી હાલતમા લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોરની હત્યા કરાઈ હોવાનુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી ગામના કિશોરના ગળામાં પટ્ટો બાંધેલી હાલતમાં ખેતરના શેડ પરથી લાશ મળી આવી છે. કિશોરનો મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઘટના તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને કિશોરના મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યો હતો. કિશોર પરિવારમાં એક નો એક પુત્ર હતોઆ કિશોર બપોર બાદ ઘરેથી નીકળ્યો હતો અને રાત્રી દરમિયાન પણ ઘરે પરત ફર્યો ન હતો. વહેલી સવારે તેની લાશ મળી આવતા હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કિશોર પરિવારમાં એક નો એક પુત્ર હતો. પુત્રની હત્યા થઈ હોવાની આશંકાથી આખો પરીવાર ભાગી પાડ્યો છે. યુવકના મોતથી ગામ લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પરિજનોએ કર્યો હત્યા થયાનો આક્ષેપમેડિકલ તપાસમાં કિશોરના ગુપ્ત ભાગે તેમજ અન્ય ભાગોમાં નાની મોટી ઈજાઓ મળી આવી છે. ત્યારે પરિજનો દ્વારા કિશોરની હત્યા થઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા એકથી વધુ યુવક દ્વારા કિશોરની હત્યા કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે પોલીસે આ મામલો સુલજાવવા આજુ બાજુના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. કિશોરના હત્યારાને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અમથાણી ગામની આજુબાજુના ગામોમાં પણ તપાસ હાથ ધરી.

Mahisagar જિલ્લાના કડાણામાં કિશોરના ગળામાં પટ્ટો બાંધીલી હાલતમા લાશ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં કિશોરના ગળામાં પટ્ટો બાંધીલી હાલતમા લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોરની હત્યા કરાઈ હોવાનુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી ગામના કિશોરના ગળામાં પટ્ટો બાંધેલી હાલતમાં ખેતરના શેડ પરથી લાશ મળી આવી છે. કિશોરનો મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઘટના તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને કિશોરના મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યો હતો.

કિશોર પરિવારમાં એક નો એક પુત્ર હતો

આ કિશોર બપોર બાદ ઘરેથી નીકળ્યો હતો અને રાત્રી દરમિયાન પણ ઘરે પરત ફર્યો ન હતો. વહેલી સવારે તેની લાશ મળી આવતા હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કિશોર પરિવારમાં એક નો એક પુત્ર હતો. પુત્રની હત્યા થઈ હોવાની આશંકાથી આખો પરીવાર ભાગી પાડ્યો છે. યુવકના મોતથી ગામ લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પરિજનોએ કર્યો હત્યા થયાનો આક્ષેપ

મેડિકલ તપાસમાં કિશોરના ગુપ્ત ભાગે તેમજ અન્ય ભાગોમાં નાની મોટી ઈજાઓ મળી આવી છે. ત્યારે પરિજનો દ્વારા કિશોરની હત્યા થઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા એકથી વધુ યુવક દ્વારા કિશોરની હત્યા કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે પોલીસે આ મામલો સુલજાવવા આજુ બાજુના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. કિશોરના હત્યારાને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અમથાણી ગામની આજુબાજુના ગામોમાં પણ તપાસ હાથ ધરી.