Lunawada : મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓની જાણકારી અપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લુણાવાડા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસીત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારે તા.9 ના રોજ 11 વર્ષ પુર્ણ કર્યા છે, આ સંદર્ભે સંકલ્પથી સિદ્ધી સુધી મોદી સરકારના 11 વર્ષ અભિયાન અંતર્ગત લુણાવાડા બાવન પાટીદાર સમાજ ઘર ખાતે રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને પ્રદેશ સહ પ્રવકતા શ્રધ્ધા રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફ્રન્સ યોજાઇ હતી. જેમાં મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળની ઐતિહાસિક સિધ્ધિઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફ્રન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તેમજ સંકલ્પથી સિદ્ધી અભિયાનના સંયોજક હિમાંશુ શાહ સહ સંયોજક ડાહ્યાભાઇ પટેલ તેજશ શાહ કમલેશ પાદરીયા સહિત પૂર્વ ધારાસભ્યો પદાધિકારીઓ કાર્યકરો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ પછી સંકલ્પથી સિદ્ધી અંતર્ગત 11 વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદઘાટન ઉપસ્થિત મહાનુભાવોએ કર્યુ હતું.
What's Your Reaction?






