Junagadh: દિવાળી ટાણે ગિરનાર રોપ-વેની સફર થઈ મોંઘી, ટિકિટના ભાવમાં 10%નો વધારો

દિવાળીના પર્વમાં લોકો જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર જવાનું વધુ પસંદ કર છે. હવે ગિરનાર પર્વત ચઢવા માટે પ્રવાસીઓ ગિરનાર રોપ-વેનો ઉપયોગ કરતા હોય છે. તેવામાં ગિરનાર પર રોપ-વેની સફર મોંઘી થઇ છે. તહેવાર સમયે ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે.ગિરનાર રોપ-વેને વર્ષ 2020ની 24મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢના ગિરનાર પર્વત પર બનેલા એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા ગિરનાર રોપ-વે ને રાષ્ટ્રની જનતાને સમર્પિત કર્યો હતો. આજ સુધી દેશ અને ગુજરાત સહિત દેશ-દુનિયા લાખો પ્રવાસીઓએ રોપ-વે ની સફર માણી છે.ગિરનાર પર રોપ-વેની સફર થઈ મોંઘી તહેવાર સમયે ટિકિટના ભાવમાં 10%નો વધારો ચાર વર્ષ બાદ થયો ટિકિટમાં વધારો ટિકિટ દર 600થી વધારી રૂ. 699 કરાયો મેન્ટેનન્સ ખર્ચ વધુ હોવાથી લેવાયો નિર્ણય જૂનાગઢમાં આવેલા ભવનાથમાં દિવાળી ટાણે ગિરનાર પર રોપ-વેની સફર મોંઘી થઇ છે. તહેવાર સમયે ગિરનાર પર રોપ-વેની ટિકિટના ભાવમાં 10%નો વધારો કરાતા હવે પ્રવાસીઓને વધુ ખર્ચ થશે. ગિરનાર રોપવેની ટિકિટમાં ચાર વર્ષ બાદ વધારો કરાયો છે. ગિરનાર રોપ-વેની ટિકિટ દર 600થી વધારી રૂ. 699 કરાયો છે. રેપ-વેની ટિકિટ વધારે કરવાનું મુખ્ય કારણ મેન્ટેનન્સ ખર્ચ વધુ હોવાથી નિર્ણય લેવાયો છે.ગિરનાર પર્વત પર કુલ પાંચ પર્વતોમાં ૮૬૬ જેટલા મંદિરોગીરનાર પર કુલ પાંચ પર્વતોમાં ૮૬૬ જેટલા નાના મોટા મંદિરો છે. થોડી નાની નાની ગુફાઓ પણ મળશે. ગીરનારના 4000 પગથિયા ચઢ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના. જ્યારે અંબાજી મંદિરના 1000 પગથિયા ચઢવાના બાકી હોય ત્યારે અદ્ભુત જૈન મંદિર પરિસર આવશે. આ જૈન મંદિરો 12મીથી 15મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા અહિયાં ૭૦૦ વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના ૨૨માં તીર્થકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. જૈન મંદિર પછી બીજા 1000 પગથીયા ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે. આ મંદિર સુધી રોપ-વે બનાવાયો છે.

Junagadh: દિવાળી ટાણે ગિરનાર રોપ-વેની સફર થઈ મોંઘી, ટિકિટના ભાવમાં 10%નો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના પર્વમાં લોકો જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર જવાનું વધુ પસંદ કર છે. હવે ગિરનાર પર્વત ચઢવા માટે પ્રવાસીઓ ગિરનાર રોપ-વેનો ઉપયોગ કરતા હોય છે. તેવામાં ગિરનાર પર રોપ-વેની સફર મોંઘી થઇ છે. તહેવાર સમયે ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે.

ગિરનાર રોપ-વેને વર્ષ 2020ની 24મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢના ગિરનાર પર્વત પર બનેલા એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા ગિરનાર રોપ-વે ને રાષ્ટ્રની જનતાને સમર્પિત કર્યો હતો. આજ સુધી દેશ અને ગુજરાત સહિત દેશ-દુનિયા લાખો પ્રવાસીઓએ રોપ-વે ની સફર માણી છે.

ગિરનાર પર રોપ-વેની સફર થઈ મોંઘી

  • તહેવાર સમયે ટિકિટના ભાવમાં 10%નો વધારો
  • ચાર વર્ષ બાદ થયો ટિકિટમાં વધારો
  • ટિકિટ દર 600થી વધારી રૂ. 699 કરાયો
  • મેન્ટેનન્સ ખર્ચ વધુ હોવાથી લેવાયો નિર્ણય

જૂનાગઢમાં આવેલા ભવનાથમાં દિવાળી ટાણે ગિરનાર પર રોપ-વેની સફર મોંઘી થઇ છે. તહેવાર સમયે ગિરનાર પર રોપ-વેની ટિકિટના ભાવમાં 10%નો વધારો કરાતા હવે પ્રવાસીઓને વધુ ખર્ચ થશે. ગિરનાર રોપવેની ટિકિટમાં ચાર વર્ષ બાદ વધારો કરાયો છે. ગિરનાર રોપ-વેની ટિકિટ દર 600થી વધારી રૂ. 699 કરાયો છે. રેપ-વેની ટિકિટ વધારે કરવાનું મુખ્ય કારણ મેન્ટેનન્સ ખર્ચ વધુ હોવાથી નિર્ણય લેવાયો છે.

ગિરનાર પર્વત પર કુલ પાંચ પર્વતોમાં ૮૬૬ જેટલા મંદિરો

ગીરનાર પર કુલ પાંચ પર્વતોમાં ૮૬૬ જેટલા નાના મોટા મંદિરો છે. થોડી નાની નાની ગુફાઓ પણ મળશે. ગીરનારના 4000 પગથિયા ચઢ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના. જ્યારે અંબાજી મંદિરના 1000 પગથિયા ચઢવાના બાકી હોય ત્યારે અદ્ભુત જૈન મંદિર પરિસર આવશે. આ જૈન મંદિરો 12મીથી 15મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા અહિયાં ૭૦૦ વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના ૨૨માં તીર્થકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. જૈન મંદિર પછી બીજા 1000 પગથીયા ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે. આ મંદિર સુધી રોપ-વે બનાવાયો છે.