Junagadh: કેશોદમાં રેલવે બ્રિજ નીચે રીક્ષા ચાલક પાણીના પ્રવાહમાં ફસાયો

Jun 23, 2025 - 00:00
Junagadh: કેશોદમાં રેલવે બ્રિજ નીચે રીક્ષા ચાલક પાણીના પ્રવાહમાં ફસાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. કેશોદમાં ભારે વારસાદના પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. ભારે વરસાદના પગલે કેશોદની ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. ધસમસતા પાણીના પાણીના પ્રવાહમાં રીક્ષા ચાલક ફસાયો હતો.આસપાસના સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી રીક્ષા બહાર કાઢી હતી.

રીક્ષા ચાલક પાણીના પ્રવાહમાં ફસાયો

કેશોદમાં ભારે વરસાદના પગલે રેલવે બ્રિજ નીચે રીક્ષા ચાલક પાણીના પ્રવાહમાં ફસાયો હતો. તંત્ર અને સ્થાનિક યુવાનો દ્વારા રીક્ષા પાણીના પ્રવાહમાંથી બહાર લવાયા હતા. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ક્યાંક રસ્તા બંધ થઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે ફરીવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યમાં પવનનની ગતિ 40થી 60 કિ.મી પ્રતિકલાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ

હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ચ ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકા,સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0