Junagadh: ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, કુંભમેળામાં ધૂળને લઈ ફેફસામાં ઈન્ફેક્શન થયુ

Feb 12, 2025 - 16:00
Junagadh: ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, કુંભમેળામાં ધૂળને લઈ ફેફસામાં ઈન્ફેક્શન થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુની તબિયત અચાનક જ લથડી છે. પ્રયાગરાજમાં કુંભ મેળામાં ધૂળને ઉડવાને લઈને ઈન્દ્રભારતી બાપુના ફેફસામાં ઈન્ફેક્શન થયુ છે. હાલમાં 7 દિવસ ઈન્દ્રભારતી બાપુને ICUમાં રાખવામાં આવ્યા છે અને આગામી 15 દિવસ સુધી આરામ કરવાની ડોક્ટરે સલાહ આપી છે.

કોણ છે ઈન્દ્રભારતી બાપુ?

તમને જણાવી દઈએ કે જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ છે. તેઓ સનાતન માટે શાબ્દિક લડવૈયા તરીકે પણ જાણીતા છે. તેઓ તેમના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઈન્દ્રભારતી બાપુ થોડા દિવસ પહેલા જ મહાકુંભમાં ગયા હતા અને ત્યારબાદ ત્યાં બીમાર પડ્યા છે, તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. 


 સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0