Jagannath rathyatra 2025: જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરૂની પદવી અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જળયાત્રા બાદ મોસાળમાં ગયેલા ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે અને તેમની નેત્રોત્સવ વિધિ બાદ તેમણે સોનાવેશ ધારણ કર્યો છે. બીજી બાજુ મંદિરમાં ગજરાજોનું પૂજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતાં. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને આવતીકાલે જગદગુરૂની પદવી આપવામાં આવશે.
18 ગજરાજોનું મંદિર પરિસરમાં પૂજન કરાયું
અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા ભગવાન ગણેશજીનું સ્વરૂપ ગણાતા 18 ગજરાજોનું મંદિર પરિસરમાં મહંત દિલીપદાસજીએ પૂજન કર્યું હતું. મંદિર પરિસરમાં આદિવાસી નૃત્ય અને ગરબા સાથે ગજરાજોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન BCCI ચેરમેન જય શાહ અને સાંસદ પરિમલ નથવાણી હાજર રહ્યાં હતાં. ભગવાન જગન્નાથની નગર યાત્રાની અંતિમ તૈયારીઓ શરૂ કરાઈ છે.
મહંત દિલીપદાસજીને આવતીકાલે જગદગુરૂની પદવી અપાશે
આ ઉપરાંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને આવતીકાલે જગદગુરૂની પદવી આપવામાં આવશે. શંકરાચાર્ય બાદ બીજા મહંતને જગદગુરૂની પદવી આપવામાં આવશે. આવતીકાલે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી રથમાં બિરાજીને નગરચર્યાએ નીકળશે. આજે સાંજે સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જયારે આવતીકાલે વહેલી સવારે મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.
What's Your Reaction?






