Gujaratના રાજયપાલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી શુભેચ્છા મુલાકાત

Jun 28, 2025 - 08:00
Gujaratના રાજયપાલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી શુભેચ્છા મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજભવન પધાર્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે ઊંડો વિચાર-વિમર્શ થયો હતો.

પ્રાકૃતિક ખેતી માટેનું જન આંદોલન જનભાગીદારીથી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમિત શાહને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટેનું જન આંદોલન જનભાગીદારીથી રાજ્યમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.

પર્યાવરણની રક્ષા માટેનો મહત્વપૂર્ણ ઉપાય

આ અવસરે અમિત શાહે ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરી અને કહ્યું કે, આ કાર્ય માત્ર ખેડૂતોના આર્થિક સશક્તિકરણનું સાધન નથી, પરંતુ જમીન, પાણી અને પર્યાવરણની રક્ષા માટેનો મહત્વપૂર્ણ ઉપાય પણ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0