Gujarat: રાજકોટ-અમદાવાદ હાઈવે પર 3 નવા ટોલ બનાવાશે

રાજકોટ-અમદાવાદ હાઈવે પર 3 નવા ટોલ બનાવાશે. જેમાં 2 ટોલ બંધ કરી 3 નવા ટોલ બનવાવમાં આવશે. સિક્સલેન હાઈવે બનતા ફેરબદલ કરાશે. તેમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ કેન્દ્રમાં દરખાસ્ત કરી છે. જેમાં બગોદરા, બાણબોરના ટોલનાકા બંધ થશે. તથા ડોળિયા, લીંબડી અને બાવળા નવા ટોલ બનશે. જેમાં કાર અને એસટી બસને ફ્રી મુસાફરી બંધ થશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં કિલો મીટર મુજબ ટોલટેક્સમાં ફેરફારનો નિર્ણય કર્યો ગુજરાતના રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર બે ટોલ બંધ થશે. તેમજ ત્રણ નવા બનશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં કિલો મીટર મુજબ ટોલટેક્સમાં ફેરફારનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ બે ટોલનાકા બંધ થશે અને ત્રણ ટોલનાકા શરૂ થશે.આથી રાજકોટ-સૌરાષ્ટ્રથી ગાંધીનગર-અમદાવાદ જનાર હજારો વાહન ચાલકોને વધારાનો ડામ આવનાર હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું છે.સુત્રોએ જણાવ્યું હતું કે, 21 વર્ષ પહેલા એટલે જૂલાઈ 2003માં રાજકોટ-અમદાવાદ ફોર લેન કરવામાં આવ્યો હતો. ફોરલેન 369 કરોડના ખર્ચ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પાછળ કરવામાં આવેલ ખર્ચની વસુલાત વાહન ચાલકો પાસેથી કરવા માટે ચોટીલા નજીક બામણબોર અને લીંબડી પછી બગોદરા પાસે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા. વાહનચાલકો પાસેથી માત્ર 10 વર્ષ સુધી જ ટોલ વસુલવાની જોગવાઈ કર્યા બાદ પણ સરકાર દ્વારા ટોલ વસુલવાનું ચાલુ રાખી કરોડો રૂપિયાની કમાણી કરી છે. હવે તાજેતરમાં ટોલટેક્સ કિલો મીટર મુજબ વસુલવાની કાર્યવાહી તૈયારી કરવામાં આવતા બામણબોર અને બગોદરાનું ટોલનાકું બંધ કરવામાં આવનાર છે.  રાજકોટ-અમદાવાદ સિક્સલેન બનાવવામાં આવતા હવે જૂના ટોલનું સ્થળ પણ બદલવામાં આવશે રાજકોટ નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું છે કે, 2018થી રાજકોટ-અમદાવાદ સિક્સલેન બનાવવામાં આવતા હવે જૂના ટોલનું સ્થળ પણ બદલવામાં આવશે. નવા રોડ માટે રાજકોટથી જતા પ્રથમ ડોળીયા પાસે આવેલ આહ્યા ગામ, બીજૂ લીંબડી પાસે કાનપરા અને બાવળા પાસે ત્રીજૂ ટોલનાકું શરૂ કરવાની દરખાસ્ત તૈયાર કરી કેન્દ્રીય પરિવહન મંત્રાલયને મોકલી દેવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. હાલ રાજકોટ-અમદાવાદ વચ્ચે બે ટોલનાકાનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે. તેની મુદત આગામી માર્ચ-2025માં પૂરો થાય છે. એટલે 1 એપ્રિલથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ત્રણ ટોલનાકામાં વાહન ચાલકોએ ટોલ દેવાની તૈયારી રાખવી પડશે. રાજકોટ-અમદાવાદ 201 કિલો મીટરનો સિક્સલેન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોડ બનાવનાર એજન્સીને ડિસેમ્બર-2024ની આખરી મુદત આપવામાં આવી છે. 201 કિલો મીટરના હાઈવે પાછળ સરકારે અત્યાર સુધીમાં 3350 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ વાહન ચાલકો પાસેથી વસુલ કરવા સરકારી તંત્રએ પૂરી તૈયારી કરી લીધી છે.

Gujarat: રાજકોટ-અમદાવાદ હાઈવે પર 3 નવા ટોલ બનાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ-અમદાવાદ હાઈવે પર 3 નવા ટોલ બનાવાશે. જેમાં 2 ટોલ બંધ કરી 3 નવા ટોલ બનવાવમાં આવશે. સિક્સલેન હાઈવે બનતા ફેરબદલ કરાશે. તેમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ કેન્દ્રમાં દરખાસ્ત કરી છે. જેમાં બગોદરા, બાણબોરના ટોલનાકા બંધ થશે. તથા ડોળિયા, લીંબડી અને બાવળા નવા ટોલ બનશે. જેમાં કાર અને એસટી બસને ફ્રી મુસાફરી બંધ થશે.

કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં કિલો મીટર મુજબ ટોલટેક્સમાં ફેરફારનો નિર્ણય કર્યો

ગુજરાતના રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર બે ટોલ બંધ થશે. તેમજ ત્રણ નવા બનશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં કિલો મીટર મુજબ ટોલટેક્સમાં ફેરફારનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ બે ટોલનાકા બંધ થશે અને ત્રણ ટોલનાકા શરૂ થશે.આથી રાજકોટ-સૌરાષ્ટ્રથી ગાંધીનગર-અમદાવાદ જનાર હજારો વાહન ચાલકોને વધારાનો ડામ આવનાર હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું છે.સુત્રોએ જણાવ્યું હતું કે, 21 વર્ષ પહેલા એટલે જૂલાઈ 2003માં રાજકોટ-અમદાવાદ ફોર લેન કરવામાં આવ્યો હતો. ફોરલેન 369 કરોડના ખર્ચ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પાછળ કરવામાં આવેલ ખર્ચની વસુલાત વાહન ચાલકો પાસેથી કરવા માટે ચોટીલા નજીક બામણબોર અને લીંબડી પછી બગોદરા પાસે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા. વાહનચાલકો પાસેથી માત્ર 10 વર્ષ સુધી જ ટોલ વસુલવાની જોગવાઈ કર્યા બાદ પણ સરકાર દ્વારા ટોલ વસુલવાનું ચાલુ રાખી કરોડો રૂપિયાની કમાણી કરી છે. હવે તાજેતરમાં ટોલટેક્સ કિલો મીટર મુજબ વસુલવાની કાર્યવાહી તૈયારી કરવામાં આવતા બામણબોર અને બગોદરાનું ટોલનાકું બંધ કરવામાં આવનાર છે.

 રાજકોટ-અમદાવાદ સિક્સલેન બનાવવામાં આવતા હવે જૂના ટોલનું સ્થળ પણ બદલવામાં આવશે

રાજકોટ નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું છે કે, 2018થી રાજકોટ-અમદાવાદ સિક્સલેન બનાવવામાં આવતા હવે જૂના ટોલનું સ્થળ પણ બદલવામાં આવશે. નવા રોડ માટે રાજકોટથી જતા પ્રથમ ડોળીયા પાસે આવેલ આહ્યા ગામ, બીજૂ લીંબડી પાસે કાનપરા અને બાવળા પાસે ત્રીજૂ ટોલનાકું શરૂ કરવાની દરખાસ્ત તૈયાર કરી કેન્દ્રીય પરિવહન મંત્રાલયને મોકલી દેવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. હાલ રાજકોટ-અમદાવાદ વચ્ચે બે ટોલનાકાનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે. તેની મુદત આગામી માર્ચ-2025માં પૂરો થાય છે. એટલે 1 એપ્રિલથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ત્રણ ટોલનાકામાં વાહન ચાલકોએ ટોલ દેવાની તૈયારી રાખવી પડશે. રાજકોટ-અમદાવાદ 201 કિલો મીટરનો સિક્સલેન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોડ બનાવનાર એજન્સીને ડિસેમ્બર-2024ની આખરી મુદત આપવામાં આવી છે. 201 કિલો મીટરના હાઈવે પાછળ સરકારે અત્યાર સુધીમાં 3350 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ વાહન ચાલકો પાસેથી વસુલ કરવા સરકારી તંત્રએ પૂરી તૈયારી કરી લીધી છે.