Gujarat Highcourt : ડ્રેનેજ કામગિરી દરમિયાન રાજ્યમાં સફાઇ કામદારોના મોત મુદ્દે સરકારનો હાઇકોર્ટમાં જવાબ

Aug 11, 2025 - 15:00
Gujarat Highcourt : ડ્રેનેજ કામગિરી દરમિયાન રાજ્યમાં સફાઇ કામદારોના મોત મુદ્દે સરકારનો હાઇકોર્ટમાં જવાબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડ્રેનેજ કામગીરી દરમિયાન રાજ્યમાં સફાઇ કામદારોના મોત મુદ્દે HCમાં અરજી કરાયેલી છે. આ અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો અને સફાઈ મશીનોની અછત દૂર કરવાની સરકારની ખાતરી આપી હતી. સરકારે મશીનરી વધારવા માટે કોર્ટમાં બાંહેધરી આપી હતી.

રાજ્યની લોકલ ઓથોરિટીને 209 મશીન મળશે

સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે રાજ્યની લોકલ ઓથોરિટીને 209 મશીન મળશે . હાલ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 59 જેટિંગ અને 133 ડિસિલ્ટિંગ મશીન છે જ્યારે 16 લોકલ બોડીઝ પાસે 16 જેટિંગ, 24 ડિસિલ્ટિંગ મશીન છે. સફાઈના સાધનો અંગે કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. ઉલ્લેખનિય છે કે સાધનોના અભાવને લીધે કામદારોના મોત થયાની કોર્ટમાં રજૂઆત કરાઇ હતી.

કામદારોના મૃત્યુ અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

સરકારે કોર્ટમાં મશીનરી વધારવા માટેની કોર્ટમાં બાંહેધરી આપી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે તમામ લોકલ ઓર્થોરિટી પાસે ગટર સફાઈ માટેના પૂરતા સાધનો હોવા જોઈએ અને સફાઈના સાધનો નગરપાલિકા પાસે છે કે કેમ એ અંગે કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો જે અંગે સરકારે જવાબ રજૂ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે વર્ષ 2016માં ગટરના ભૂગર્ભમાં ઉતરતા કામદારોના મૃત્યુ અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0