Gujarat: વિદ્યા સહાયકોની ભરતી ફરી શરૂ કરાઈ, આજથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થગિત થયેલી વિદ્યાસહાયક માટેની ભરતી ફરીવાર શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી5 માટે ઉમેદવારોને પાંચમી જૂનથી છેલ્લી પસંદગી માટે બોલાવાયા છે. રાજ્યમાં શિક્ષણ પસંદગી સમિતી દ્વારા એક યાદી જાહેર કરીને કહેવાયું છે કે, જે ઉમેદવારો ફરીવાર જિલ્લા પસંદગી માટે હાજર નહીં રહે તેઓ પસંદગી માટે તૈયાર નહીં હોવાનું માની લેવામાં આવશે. ઉમેદવારો આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
આજથી વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે
શિક્ષણ વિભાગની યાદી પ્રમાણે અગાઉ 17 મે 2025ના રોજ મુકાયેલા મેરિટ પ્રમાણેના ઉમેદવારો આજથી વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. વિદ્યાસહાયક ભરતી 2024માં આ ઉમેદવારોને પાંચમી જૂનથી 28મી જૂન દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવાયા છે. જેની તારીખ, સમય અને સ્થળ કોલ લેટરમાં દર્શાવેલ છે. 17 મે 2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે.
અગાઉ વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી
અગાઉ વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી. જે સંદર્ભે શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા કહેવાયું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારોના મેરીટમાં ફેરફારને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે અન્ય ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22મે 2025થી 31 મે 2025 સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નિર્ણય કર્યો છે.
What's Your Reaction?






