Gram panchayat election: રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર સરપંચની ચૂંટણી હાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં જીતપુર ગ્રુપ ચૂંટણીમાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો પરાજય થયો છે. કિરણ સિંહ પરમાર 600 મતથી ચૂંટણી હારી ગયાં છે. જ્યારે હરિફ ઉમેદવાર મંગળ પરમારને 1374 મત મળ્યાં છે. મંત્રીના પુત્રનો પરાજય થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કિરણસિંહ પરમારનો 600થી વધુ મતે પરાજય
પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર સરપંચ પદની ચૂંટણી લડ્યા હતાં. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં તેમનો પરાજય થયો હતો. કિરણસિંહ પરમારનો 600થી વધુ મતે પરાજય થયો હતો. તેમના હરિફ ઉમેદવાર મંગળ પરમારને 1374 મત મળ્યા હતાં. મંત્રીના પુત્રનો પરાજય થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
મારામારીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત
થોડા સમય પહેલા જ મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ અને રણજિતસિંહે અંગત અદાવતમાં મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં.
What's Your Reaction?






