Girsomnathની હિરણ નદી બની ગાંડીતૂર, ડેમમાંથી છોડાયું પાણી

હિરણ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું હિરણ ડેમના 4 દરવાજા 2-2 ફૂટ ખોલાયા ભારે પાણીની આવકને લઈ નદીનું રૌદ્ર સ્વરૂપ ગીરના જંગલમાં વરસેલ મુશળધાર વરસાદના કારણે ગીરમાંથી નિકળતી હીરણ નદી ગાંડીતૂર બની છે.અને આ હિરણ નદીનો પ્રવાહ હિરણ ડેમમાં જતો હોય છે જેના કારણે હિરણ ડેમના ચાર દરવાજા બે બે ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી છે.જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. બપોરનાં 12 વાગ્યા સુધીમાં વેરાવળમાં 4 ઇંચ અને તાલાલામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. હિરણ –2 ડેમનાં આજે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. 14 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. આભ ફાટયા જેવી સ્થિતિ ગુજરાતમાં મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીરસોમનાથમાં ભારે થી અતિ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. જેમા પોરબંદર અને જુનાગઢમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર થતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. દ્રારકામાં સૌથી વધુ વરસાદ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં ૮ ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા રાજયમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે.પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે,રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે.રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ થયા છે.પોરબંદરમાં 76 રસ્તાઓ બંધ થયા છે.દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે. ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની 10 ટીમો રવાના કરાઈ 01 નર્મદા,1 ટીમ કચ્છ,1 ટીમ વલસાડ.1 ટીમ દેવભૂમિ દ્વારકા,1 ટીમ જૂનાગઢ,1 ટીમ ભાવનગર,1 ટીમ અમરેલી,1 ટિમ સુરત,1 ટીમ ગીર સોમનાથ,1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે. શું કહે છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.  

Girsomnathની હિરણ નદી બની ગાંડીતૂર, ડેમમાંથી છોડાયું પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિરણ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું
  • હિરણ ડેમના 4 દરવાજા 2-2 ફૂટ ખોલાયા
  • ભારે પાણીની આવકને લઈ નદીનું રૌદ્ર સ્વરૂપ

ગીરના જંગલમાં વરસેલ મુશળધાર વરસાદના કારણે ગીરમાંથી નિકળતી હીરણ નદી ગાંડીતૂર બની છે.અને આ હિરણ નદીનો પ્રવાહ હિરણ ડેમમાં જતો હોય છે જેના કારણે હિરણ ડેમના ચાર દરવાજા બે બે ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી છે.જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. બપોરનાં 12 વાગ્યા સુધીમાં વેરાવળમાં 4 ઇંચ અને તાલાલામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. હિરણ –2 ડેમનાં આજે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. 14 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે.

આભ ફાટયા જેવી સ્થિતિ

ગુજરાતમાં મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીરસોમનાથમાં ભારે થી અતિ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. જેમા પોરબંદર અને જુનાગઢમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર થતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે.


દ્રારકામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં ૮ ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા

રાજયમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે.પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે,રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે.રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ થયા છે.પોરબંદરમાં 76 રસ્તાઓ બંધ થયા છે.દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે.

ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની 10 ટીમો રવાના કરાઈ

01 નર્મદા,1 ટીમ કચ્છ,1 ટીમ વલસાડ.1 ટીમ દેવભૂમિ દ્વારકા,1 ટીમ જૂનાગઢ,1 ટીમ ભાવનગર,1 ટીમ અમરેલી,1 ટિમ સુરત,1 ટીમ ગીર સોમનાથ,1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.

શું કહે છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.