Girnar પર્વત ઉપર 24 કલાક વીજળી મળી રહેશે, 6 ટ્રાન્સફોર્મર ઉભા કરાયા

ગિરનાર પર્વત ઉપર હવે 24 કલાક વીજળી મળી રહેશે, જેનું ટૂંક જ સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે વર્ષોથી જુનાગઢ વાસીઓનું સપનું હવે પૂર્ણ થશે. કારણ કે 24 કલાક ગિરનાર ઉપર વીજળી મળે તે માટે પીજીવીસીએલની ટીમે ઉત્તમ કામગીરી કરી છે.ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 4000 મીટરની ઉંચાઈ ઉપર વીજળી મળશે સૌપ્રથમ વખત ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 4000 મીટરની ઉંચાઈ ઉપર વીજળી મળશે. હિમાલયના દાદા અને ગરવા ગિરનાર ઉપર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે. માત્ર છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી PGVCLની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો હતી અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઈટ પહોંચાડવામાં આવતી હતી, જેમાં વરસાદ અને પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને ઉપર આવેલા ધાર્મિક સ્થળોમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તે માટેની અવારનવાર માગણી પણ કરવામાં આવી હતી. જે માગણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના 6 ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા ગત ડિસેમ્બરમાં ગિરનાર ઉપર 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના છ ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે, તેમજ અંડરગ્રાઉન્ડ વાયરીંગ કરવામાં આવ્યું છે. ટ્રાન્સફોર્મરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓને કોઈ નુકસાની ના થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી ગિરનાર ઉપર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળે છે, જેથી વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ના થાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમાં અંડરગ્રાઉન્ડ વાયરીંગ ઉપર ફેન્સીંગ કરવામાં આવ્યું છે. આ ફેન્સીંગની મદદથી વાંદરા જેવા પ્રાણીઓની સુરક્ષા કરવામાં આવશે. આમ, ટૂંક સમયમાં જ હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ બાદ 24 કલાક ગિરનાર ઉપર વીજ પુરવઠો મળશે અને ગિરનાર ઝળહળી ઉઠશે.

Girnar પર્વત ઉપર 24 કલાક વીજળી મળી રહેશે, 6 ટ્રાન્સફોર્મર ઉભા કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગિરનાર પર્વત ઉપર હવે 24 કલાક વીજળી મળી રહેશે, જેનું ટૂંક જ સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે વર્ષોથી જુનાગઢ વાસીઓનું સપનું હવે પૂર્ણ થશે. કારણ કે 24 કલાક ગિરનાર ઉપર વીજળી મળે તે માટે પીજીવીસીએલની ટીમે ઉત્તમ કામગીરી કરી છે.

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 4000 મીટરની ઉંચાઈ ઉપર વીજળી મળશે

સૌપ્રથમ વખત ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 4000 મીટરની ઉંચાઈ ઉપર વીજળી મળશે. હિમાલયના દાદા અને ગરવા ગિરનાર ઉપર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે. માત્ર છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી PGVCLની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.


પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો હતી

અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઈટ પહોંચાડવામાં આવતી હતી, જેમાં વરસાદ અને પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને ઉપર આવેલા ધાર્મિક સ્થળોમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તે માટેની અવારનવાર માગણી પણ કરવામાં આવી હતી. જે માગણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના 6 ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા

ગત ડિસેમ્બરમાં ગિરનાર ઉપર 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના છ ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે, તેમજ અંડરગ્રાઉન્ડ વાયરીંગ કરવામાં આવ્યું છે. ટ્રાન્સફોર્મરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે.


વન્ય પ્રાણીઓને કોઈ નુકસાની ના થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી

ગિરનાર ઉપર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળે છે, જેથી વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ના થાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમાં અંડરગ્રાઉન્ડ વાયરીંગ ઉપર ફેન્સીંગ કરવામાં આવ્યું છે. આ ફેન્સીંગની મદદથી વાંદરા જેવા પ્રાણીઓની સુરક્ષા કરવામાં આવશે. આમ, ટૂંક સમયમાં જ હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ બાદ 24 કલાક ગિરનાર ઉપર વીજ પુરવઠો મળશે અને ગિરનાર ઝળહળી ઉઠશે.