Gandhinagar News : અમિત શાહની ગુજરાત મુલાકાત, રક્ષાબંધન અને વિકાસકાર્યોના કાર્યક્રમોમાં આપશે હાજરી

Aug 5, 2025 - 14:00
Gandhinagar News : અમિત શાહની ગુજરાત મુલાકાત, રક્ષાબંધન અને વિકાસકાર્યોના કાર્યક્રમોમાં આપશે હાજરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે સક્ષબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે તેમજ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના વિકાસકાર્યોના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

ગૃહમંત્રી વિકાસકર્યોનું લોકાર્પણ કરશે

અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ આ સમયગાળા દરમિયાન વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે. આ પ્રવાસમાં તેઓ ગુજરાતના CM, મંત્રીમંડળના સભ્યો અને ભાજપના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. આ સિવાય રાજ્યના સામાજિક અને રાજકીય પરસ્થિતિઓ અંગે પણ ચર્ચા કરશે તવી શક્યતા છે.

પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટે છે. અમિત શાહ તહેવાર તેમના પરિવાર સાથે અમદાવાદમાં ઉજવશે. આ ઉપરાંત, તેઓ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લઇ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ ગુજરાત માટે રાજકીય અને સામાજિક બંને રીતે મહત્વનો માનવામાં આવે છે. જેમાં તેઓ વિકાસની નવી દિશાઓ દર્શાવશે અને પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0