Gandhinagar : જીતની ઉજવણી દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, વંદે માતરમની રચના રવિન્દ્રનાથ ટાગોરે કર્યાનું કહ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભાજપના શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ઉત્સવનો માહોલ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નેતાઓ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉત્સાહમાં આવીને એક મોટો 'ભાંગરો' વાટ્યો હતો.
ટાગોર કે બંકિમચંદ્ર? મંત્રી ગોથે ચડ્યા
બંગાળની જીતનો શ્રેય આપતા અને બંગાળના મહાપુરુષોને યાદ કરતા જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું કે, "બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમની રચના કરી હતી." જોકે, સત્ય એ છે કે ભારતનું રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ની રચના પ્રસિદ્ધ કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી, જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની રચના કરી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
મુખ્યમંત્રી અને અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં જ મંત્રીએ આપેલા આ અકળાવનારા નિવેદનથી કાર્યકરોમાં પણ કચવાટ જોવા મળ્યો હતો. ઐતિહાસિક તથ્યોની આ ગંભીર ભૂલ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ટીકા કરી રહ્યા છે. જીતના જશ્ન વચ્ચે પ્રદેશ પ્રમુખનું આ જ્ઞાન પ્રદર્શન હવે ભાજપ માટે થોડી ક્ષોભજનક સ્થિતિ પેદા કરી રહ્યું છે.
આ પણ વાંચો---- West Bengal Election Result 2026 : 75 વર્ષ બાદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું સાકાર, ભાજપે અદા કર્યુ 'પિતૃઋણ'
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

