Gandhinagar : કલોલના નારદીપુરના તળાવમાં એક સાથે કૂદીને 3 યુવકે આપઘાત કરતા અરેરાટી, આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના કલોલમાં 3 યુવકનો આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. કલોલ પાસે નારદીપુર તળાવમાં પડી 3 યુવકે આપઘાત કર્યો છે. બનાવના પગલે પોલીસે તપાસ શરુ કરી છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.
તળાવમાં પડતા પહેલા આ યુવકોએ વીડિયો પણ બનાવ્યો
મળેલી માહિતી પ્રમાણે આ યુવકોએ તળાવમાં કૂદીને આપઘાત કર્યો છે. નારદીપુરના તળાવમાં પડતા પહેલા આ યુવકોએ વીડિયો પણ બનાવ્યો હતો અને ઇન્સ્ટાગ્રામમાં પણ વાયરલ કર્યો હતો. એક સાથે ત્રણ યુવકે તળાવમાં પડી આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે.
અગમ્ય કારણોસર તળાવમાં પડી યુવકોએ આપઘાત કર્યો
હાલ તો અગમ્ય કારણોસર તળાવમાં પડી યુવકોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે. આ યુવકના નામ ધૈર્ય શ્રીમાળી, કૌશિક મહેરીયા, અશોક વાઘેલા હોવાનું જાણવા મળે છે. ત્રણેય યુવકો નારદીપુરના જ રહેવાસી
પોલીસે પણ સમગ્ર બનાવની તપાસ શરુ કરી છે તથા તેમના વીડિયોની પણ ચકાસણી કરાઇ રહી છે. ત્રણેય યુવકો નારદીપુરના જ રહેવાસી હોવાનું જાણવા મળે છે પણ તેમણે એક સાથે તળાવમાં પડીને કેમ આપઘાત કર્યો તે વિશે ભારે સસ્પેન્સ છવાયેલું છે. પોલીસ તપાસમાં મહત્વના તારણો બહાર આવે તેવી શક્યતા છે.
What's Your Reaction?






