Dwarka પાસે અકસ્માતની ઘટના, મૃતકોના પરિવારજનોને ચૂકવાઈ 24 લાખની સહાયની રકમ

થોડા દિવસો પહેલા દ્વારકા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગાંધીનગર જિલ્લાના 6 લોકોના પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાય ચૂકવવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિજનોને ચેક આપ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મૃતકોના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના પલસાણા ગામના 4 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારને રૂપિયા 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ટીંટોડા ગામના 2 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારજનોને રૂપિયા 8 લાખની સહાય ચૂકવાઈ છે. આ સાથે જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ સરકાર દ્વારા રૂપિયા 50-50 હજારની સહાય ચૂકવવામાં આવી છે અને કૂલ 4 ઈજાગ્રસ્તોને રૂપિયા 2 લાખની સહાય ચુકવવામાં આવી છે. 28 સપ્ટેમ્બરે સર્જાયો હતો ભયાનક અકસ્માત તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાની આસપાસ દ્વારકા પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. બસ, કાર અને બાઈક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા જ તાત્કાલિક રાજ્ય મંત્રી મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકોના નામ 1. હેતલબેન અર્જુનભાઈ ઠાકોર 2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર ઉ 3. તાન્યા અર્જુન ઠાકોર ઉંમર 4. હિમાંશુ કિશનજી ઠાકોર ઉંમર 5. વિરેન કિશનજી ઠાકુર 6. ચિરાગભાઈ બરડીયા

Dwarka પાસે અકસ્માતની ઘટના, મૃતકોના પરિવારજનોને ચૂકવાઈ 24 લાખની સહાયની રકમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થોડા દિવસો પહેલા દ્વારકા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગાંધીનગર જિલ્લાના 6 લોકોના પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિજનોને ચેક આપ્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મૃતકોના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના પલસાણા ગામના 4 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારને રૂપિયા 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ટીંટોડા ગામના 2 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારજનોને રૂપિયા 8 લાખની સહાય ચૂકવાઈ છે. આ સાથે જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ સરકાર દ્વારા રૂપિયા 50-50 હજારની સહાય ચૂકવવામાં આવી છે અને કૂલ 4 ઈજાગ્રસ્તોને રૂપિયા 2 લાખની સહાય ચુકવવામાં આવી છે.

28 સપ્ટેમ્બરે સર્જાયો હતો ભયાનક અકસ્માત

તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાની આસપાસ દ્વારકા પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. બસ, કાર અને બાઈક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા જ તાત્કાલિક રાજ્ય મંત્રી મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

મૃતકોના નામ

1. હેતલબેન અર્જુનભાઈ ઠાકોર

2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર ઉ

3. તાન્યા અર્જુન ઠાકોર ઉંમર

4. હિમાંશુ કિશનજી ઠાકોર ઉંમર

5. વિરેન કિશનજી ઠાકુર

6. ચિરાગભાઈ બરડીયા