Dediyapada:દીપડાનું રેસ્ક્યૂ કરવા નિર્ણય, ખેડૂતોને રાત્રિને બદલે દિવસે પાણી અપાશે

Jun 1, 2025 - 04:30
Dediyapada:દીપડાનું રેસ્ક્યૂ કરવા નિર્ણય, ખેડૂતોને રાત્રિને બદલે દિવસે પાણી અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાગબારા તાલુકા પંચાયત ખાતે કોલવાણ ગામની દીકરી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે દરમિયાન માસૂમ દીકરીનું મોત નિપજ્યું હતું. તે બાબતે બેઠક મળી હતી. જેમા સાગબારા તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે આધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાઇ હતી.

સાગબારા ખાતે તાલુકા પંચાયતના મિટીંગ હોલમાં સાગબારા તાલુકાના કોલવાણ ગામે 9વર્ષની દીકરી શ્રેયલ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. અને ગંભીર ઇજાગ્રસ્ત દીકરીનું મોત નિપજ્યું હતું. જેના અનુસંધાનમાં સાગબારા મામલતદાર, નર્મદા વનવિભાગના અધિકારીઓ, નર્મદા GEBના અધિકારીઓ અને સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ, શિક્ષણ વિભાગ નાનસિંગ વસાવા અને સાગબારા તાલુકાના આગેવાનોની એક મિટીંગ મળી હતી. જેમા દીપડાનું રેસ્ક્યુ કરી સાગબારા તાલુકામાંથી દૂર કરવા અને રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠા દીપડાના ત્રાસથી કોઇ ખેડૂત પાણી છોડવા ના જતો હોવાથી, વીજ પુરવઠો દિવસ દરમિયાન આપવા ખાતરી આપવામા આવી હતી.

પરિવારને સાંસદની ઉપસ્થિતિમાં રૂા.10 લાખની સહાય

કોલવાણ ગામની સીમમાં તા.29 મેના રોજ સાંજે વન્ય પ્રાણી દીપડાએ 9 વર્ષીય બાળકી શ્રેયલ વસાવાને ઉઠાવી જઈ મોતને ઘાટ ઉતારી હતી. બાળકીના અંતિમસંસ્કાર બાદ સાંજના સમયે સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, રાજપીપળા પૂર્વ વિભાગના ડી.એફ્.ઓ અભયકુમારની ઉપસ્થિતમાં બાળકીના પરિવારને રૂા.10 લાખનો ચેક અર્પણ કરી સાંત્વના અપાઇ હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0