Dahod:*નમો કે નામ રક્તદાન* કૅમ્પ તેમજ ચેનપુર ગામે વૃક્ષારોપણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી તથા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફ્ળતા નિમિત્તે દેવગઢ બારીઆની એસ.આર હાઈસ્કૂલ ખાતે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નમો કે નામ રક્તદાન કેમ્પ અને ચેનપુર ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પટેલ તેમજ વિસરણ રેન્જના આરએફઓ હિતેશ પટેલની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કરાયું હતું.
રક્તદાન કાર્યક્રમમાં માજી રમતગમત રાજ્ય મંત્રી શ્રીમંત રાજમાતા ઉર્વશી દેવીજી મહારાઉલ, આચાર્ય એમ.આઈ. અરબ, ગજેન્દ્ર પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બુધાભાઈ પરમાર, મહામંત્રી દિનેશ પટેલ, યુવા પ્રમુખ અજીતસિંહ રાઠોડ, પાલિકાના હોદ્દેદારો તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓએ કુલ 75 યુનિટ રક્તદાન કર્યું હતું. જ્યારે ચેનપુર ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળા સંકુલ સહીત ગામમાં ખેડૂતો અને આગેવાનો દ્વારા 750 જેટલાં રોપાઓનું વાવેતર કરાયું હતું.
What's Your Reaction?






