Dahod: શંકુતલાદેવી ટ્રસ્ટે 50 અતિકુપોષિત બાળકોને દત્તક લીધા

Jun 7, 2025 - 05:30
Dahod: શંકુતલાદેવી ટ્રસ્ટે 50 અતિકુપોષિત બાળકોને દત્તક લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં શ્રીમતી શંકુતલા દેવી ચેરીટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કોઈ પણ સરકારી ગ્રાન્ટ વગર કરે છે.ત્યારે આજે દાહોદ શહેરના 50 અતિ કુપોષિત બાળકોને સુપોષિત ન થાય ત્યાં સુધી દત્તક લઈને સુપોષણ કીટનું વિતરણ કર્યુ હતુ.

શ્રીમતી શંકુતલાદેવી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના સેવાકીય હેતુઓ માટે જ કરવામાં આવી છે.આ ટ્રસ્ટ દ્રારા મહિલાઓને સિવણની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 700થી વધુ મહિલાઓને તાલીમ આપી દેવામાં આવી છે.અહીં સિલાઈ મશીન,દોરા કાપડ બધુ જ ટ્રસ્ટ દ્રારા આપવામાં આવે છે.ટ્રસ્ટ દ્રારા લાખોના ખર્ચે ઠંડા પીવાના પાણીની પરબ (ટાંકી) પણ બાંધવામાં આવેલી છે ત્યારે આજે આ ટ્રસ્ટ દ્રારા વધુ એક નિઃસ્વાર્થ સેવાકીય કાર્ય કરવામાં આવ્યુ હતુ.જેમાં દાહોદ શહેર વિસ્તારમાં રહેતા અને વિવિધ આંગણવાડમાં ભણતાં 50 અતિકુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે દત્તક લેવામાં આવ્યા હતા.તમામને દાળ, ચોખા,નાળિયેર,ખજૂર અને બિરકીટની કીટ આપવામા આવી હતી તેમજ હજી પણ કોઈ અતિકુપોષિત બાળકો હોય તો તેમને પણ દત્તક લેવાની બાંહેધરી આપવામાં આવી હતી.ટ્રસ્ટના ઉપપ્રમુખ અનિતાબેન અગ્રવાલ,મંત્રી અભિષેક જૈન, ખજાનચી જતીન લાલપુરવાલા,રીમા બેનજૈન તેમજ પાલિકાના ઉપપ્રમુખ શ્રધ્ધા ભડંગ ઉપસ્થિત રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0