Dahod અને Mahisagarમાં માર્ગ અકસ્માતની ઘટના, 2 સગા ભાઈઓના મોત

દાહોદના વરોડ ટોલ નાકા જોડે ફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયોએક જ પરિવારના 2 દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં ગમગીની છવાઈ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દાહોદમાં આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માતમમાં ફેરવાયો છે. માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત થયા છે. દાહોદના વરોડ ટોલ નાકા પાસે અકસ્માત સર્જાયો હતો અને તેમાં બે સગા ભાઈના મોત થયા છે. ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જી ફરાર વરોડ ટોલ નાકા નજીક ફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં મોટર સાયકલ પર સવાર 2 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત થયા છે. ત્યારે ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એક જ પરિવારના 2 દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માતમમાં ફેરવાયો છે. મહિસાગરમાં બે બાઈક સામસામે અથડાયા, 1નું મોત ત્યારે બીજી તરફ રાજ્યના મહિસાગર જિલ્લામાં પણ માર્ગ અકસ્માતનો બનાવ બન્યો છે અને આ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. રક્ષાબંધન ઉજવવા માટે આવેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. 2 બાઈક રોડ પર સામસામે અથડાયા હતા અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. મહિસાગરના કડાણાના સાયા મહુડા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. 3 ઈજાગ્રસ્ત થયેલા લોકોની હાલત ગંભીર ત્યારે બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં એકનું મોત થયું હતું અને 3 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જો કે આ 3 ઈજાગ્રસ્ત થયેલા લોકોની હાલત પણ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. 

Dahod અને Mahisagarમાં માર્ગ અકસ્માતની ઘટના, 2 સગા ભાઈઓના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાહોદના વરોડ ટોલ નાકા જોડે ફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
  • એક જ પરિવારના 2 દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં ગમગીની છવાઈ
  • ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

દાહોદમાં આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માતમમાં ફેરવાયો છે. માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત થયા છે. દાહોદના વરોડ ટોલ નાકા પાસે અકસ્માત સર્જાયો હતો અને તેમાં બે સગા ભાઈના મોત થયા છે.

ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જી ફરાર

વરોડ ટોલ નાકા નજીક ફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં મોટર સાયકલ પર સવાર 2 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત થયા છે. ત્યારે ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એક જ પરિવારના 2 દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માતમમાં ફેરવાયો છે.

મહિસાગરમાં બે બાઈક સામસામે અથડાયા, 1નું મોત

ત્યારે બીજી તરફ રાજ્યના મહિસાગર જિલ્લામાં પણ માર્ગ અકસ્માતનો બનાવ બન્યો છે અને આ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. રક્ષાબંધન ઉજવવા માટે આવેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. 2 બાઈક રોડ પર સામસામે અથડાયા હતા અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. મહિસાગરના કડાણાના સાયા મહુડા પાસે આ અકસ્માતની ઘટના બની હતી.

3 ઈજાગ્રસ્ત થયેલા લોકોની હાલત ગંભીર

ત્યારે બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં એકનું મોત થયું હતું અને 3 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જો કે આ 3 ઈજાગ્રસ્ત થયેલા લોકોની હાલત પણ ગંભીર હોવાની માહિતી મળી રહી છે.